Bangalore IT Raid: IT ના દરોડામાં 500 રૂપિયાની નોટોથી ભરેલા 23 બોક્સ ઝડપાયા, વાંચો સંપૂર્ણ મામલા વિશે…

Bangalore IT Raid: આવકવેરા વિભાગે કેટલાક કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકો પાસેથી 42 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી

બેંગલુરુ, 14 ઓક્ટોબરઃ Bangalore IT Raid: આવકવેરા વિભાગે કર્ણાટકમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકો પાસેથી 42 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સ્થિતિ તો એવી થઈ કે કેટલી રોકડ છે તે જાણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવાની ફરજ પડી છે.

આટલી મોટી માત્રામાં રોકડ જોઈને આઈટી વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ રોકડ કર્ણાટકની રાજધાનીના એક રહેણાંક સંકુલમાંથી મળી આવી હતી, જ્યાં કોઈ રહેતું ન હતું. આ રોકડ કાર્ડબોર્ડ બોક્સમાં રાખવામાં આવી હતી.

ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સીએન અશ્વત નારાયણે આ મામલે કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન તરીકે આ રકમ લીધી છે. આ ખૂબ જ નજીવી રકમ છે, જે આવકવેરા વિભાગે પકડી છે. આ માત્ર એક નમૂનો છે.

ભાજપના નેતા અને એમએલસી એન રવિ કુમારે દાવો કર્યો હતો કે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરાયેલી અને આઈટી દ્વારા જમા કરાયેલી રકમમાંથી તે 42 કરોડ રૂપિયા છે. જેમાં 500 રૂપિયાની નોટો સામેલ છે, જે 23 બોક્સમાં રાખવામાં આવી હતી. તે પણ પ્રકાશમાં આવી રહ્યું છે કે આ રોકડ તેલંગાણા ચૂંટણી માટે એકત્રિત કરવામાં આવ્યા હતા.

ભાજપ-કોંગ્રેસ સામ-સામે થયા

તેમણે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂ. 650 કરોડની બાકી ચૂકવણી માટે આ રોકડ કમિશન તરીકે લેવામાં આવી હતી. રવિ કુમારે આ મામલે તપાસની માંગ કરી હતી. બીજેપીના અન્ય ઘણા નેતાઓએ પણ કોંગ્રેસ પર આવા જ આરોપ લગાવ્યા છે.

આ મામલાને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે. કોઈએ કોઈની પાસે પૈસા માંગ્યા નથી. આરોપ લગાવનારા પાસે કયા પુરાવા છે?

નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આ મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. છત્તીસગઢ, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે તે પણ આપણે જાણીએ છીએ. જ્યાં ભાજપ સત્તામાં હશે ત્યાં કશું થશે નહીં. જ્યાં ભાજપ સત્તામાં નથી ત્યાં આવી ઘટનાઓ બને છે.

કર્ણાટક સ્ટેટ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ડી કેમ્પન્નાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર આઠ વર્ષથી કોઈ કોન્ટ્રાક્ટના કાર્યમાં સામેલ ન હતો. કોન્ટ્રાક્ટર પાસે ખેતીની સાથે બીજા ઘણા ધંધાઓ હતા. તમને જણાવી દઈએ કે તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમમાં 7 થી 30 નવેમ્બરની વચ્ચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલી આ કાર્યવાહીથી કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ એ પણ તપાસ કરી રહ્યું છે કે શું આ નાણાં તેલંગાણા મોકલવાના હતા, જ્યાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

મામલાને ચૂંટણી સાથે જોડીને તેલંગાણાના મંત્રી હરીશ રાવે કહ્યું કે કોંગ્રેસે આ પૈસા બેંગલુરુના બિલ્ડરો અને સોનાના વેપારીઓ પાસેથી કમિશન તરીકે વસૂલ્યા છે, તેનો ઉપયોગ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ 1500 કરોડનો ખર્ચ કરવાનો હતો.

આ પણ વાંચો… Operation Ajay Update: ભારતનું ઓપરેશન ‘અજય’ તેજ, આજે વધુ આટલા ભારતીયો પહોંચ્યા દિલ્હી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો