Increase in speed of Vande Bharat Express: અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસની ગતિમાં વધારો
Increase in speed of Vande Bharat Express: વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના વિરમગામ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર
અમદાવાદ, 20 ઓક્ટોબર: Increase in speed of Vande Bharat Express: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ની ગતિમાં વધારો કરવામાં આવેલ છે. તથા ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસના વિરમગામ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી અમદાવાદથી 17.55 કલાકને બદલે 18:10 કલાકે ઉપડીને 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18.58 કલાકે વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20.31 કલાકે વાંકાનેર, 21.03 કલાકે રાજકોટ તથા 22.35 કલાકે જામનગર પહોંચશે.
- ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબર 2023થી જામનગરથી 05:30 કલાકને બદલે 05:45 કલાકે ઉપડીને 06:35 કલાકે રાજકોટ, 07:11 કલાકે વાંકાનેર, 08:06 કલાકે સુરેન્દ્રનગર, 08:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 09:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ના 27 ઓક્ટોબર 2023 થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:56/18:58 કલાકને બદલે 18:50/18:52 કલાકનો રહેશે
- ટ્રેન નંબર 19107 ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનો 29 ઓક્ટોબર 2023 થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:30/8:32 કલાકને બદલે 08:25/08:27 કલાકનો રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા.