મહાકુંભમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)એ કરી આ અપીલ, સ્વામી અવધેશાનંદ ગિરીએ આપ્યું સમર્થન..!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી
નવી દિલ્હી, 17 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, તેમાં હરિદ્વાર ખાતે યોજાયેલ મહાકુંભના સંતો પણ બાકાત નથી. જેના કારણે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી બધા સાધુ-સંતોની સ્થિતિ પણ જાણી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં દેશભરમાં કોરોના લગભગ 13 લાખ કેસ નોંધાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કર્યું હતું કે ‘આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી સાથે આજે ફોન પર વાત કરી હતી. તમામ સંતોના સ્વાસ્થ્ય વિશે જાણ્યું. તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો.’
પીએમ મોદીએ (PM Modi) આગામી ટવીટમાં લખ્યું કે, ‘મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થયા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવું જોઈએ. તેનાથી આ કટોકટી સામેની લડતને શક્તિ મળશે.
ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ પીએમ મોદીના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે લખ્યું હતું કે, ‘અમે પ્રધાનમંત્રીના કોlલનું સન્માન કરીએ છીએ. જીવનનું રક્ષણ એ એક મહત્વપૂર્ણ છે. મારો ધર્મ પરાયણ લોકોને કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સ્નાન ન કરવા અને નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
આ પણ વાંચો…
કોરોના બેકાબુ બનતા ગુજરાતના આ શહેરમાં અવરજવરને લઇ, GSRTCએ લીધો મોટો નિર્ણય- જરુરથી વાંચો