Union Minister Narayan Rane: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને હિરાસતમાં લેવામાં આવ્યા, કોર્ટ થી ન મળી કોઈ સહાય
Union Minister Narayan Rane: નારાયણ રાણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બોમ્બે હાઈકોર્ટે અરજીની સુનાવણી તાત્કાલિક ધોરણે કરવાથી ઇનકાર કરી દીધો હતો.
મુંબઈ, ૨૪ ઓગસ્ટ: Union Minister Narayan Rane: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની રત્નાગીરી પોલીસ દ્વારા સંગમેશ્વર ખાતે ધરપકડ કરવામાં આવી છે. આથી અગાઉ નારાયણ રાણે પોતાની જાતને ધરપકડથી બચાવવા માટે રત્નાગીરી સેશન્સ કોર્ટમાં અટક પૂર્વ જામીનની અરજી કરી હતી, જેને જજ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ નારાયણ રાણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને બોમ્બે હાઈકોર્ટે અરજીની સુનાવણી તાત્કાલિક ધોરણે કરવાથી ઇનકાર કરી દીધો હતો.
આ દરમિયાન નાસિક પોલીસે રત્નાગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી તેમજ સ્થાનિક પોલીસ વિભાગે વિશેષ દળ બનાવીને નારાયણ રાણે એ (Union Minister Narayan Rane) જ્યાં મુકામ કર્યો હતો ત્યાં જઈને તેમની ધરપકડ કરી છે.
નારાયણ રાણે ની(Union Minister Narayan Rane) તબિયત ની તપાસ કરવા માટે ડોક્ટરની એક ટીમ સંગમેશ્વર પહોંચી હતી. પોલીસે તેમને તાબામાં લીધા હતા અને રત્નાગીરી ખાતે તેમની રવાનગી થઈ હતી.