flu mist vaccine 92a4daa8d6c90ba163de8c73bd91342205d86eaf s800 c85

નવી ટેક્નિકઃ નાક દ્વારા આપવામાં આવી શકે છે કોરોનાની રસી, આ કંપનીને સરકારે આપી મંજૂરી

flu mist vaccine 92a4daa8d6c90ba163de8c73bd91342205d86eaf s800 c85

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ કોરોના સામેની લડાઈમાં ભારત સરકારે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નાક વાટે લેવાની રસીની વિશેષતા એ છે કે આ રસી એક જ વખત લેવાની રહેશે. ભારત બાયોટેકને નાક વાટે લેવાની રસીની ટ્રાયલની મંજૂરી મળતાં નાગપુરમાં પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે.

ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઈલ્લાએ જણાવ્યું કે નાક વાટે લેવાની રસી માટે કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે નાકથી અપાતી રસી ઈન્જેક્શનવાળી રસી કરતાં વધુ સારી છે. આ રસીની ટ્રાયલ ભૂવનેશ્વર, પૂણે, નાગપુર, હૈદરાબાદમાં થશે, જ્યાં ૧૮થી ૬૫ વર્ષના અંદાજે ૪૦-૪૫ વોલન્ટિયર્સની પસંદગી કરાશેભારતમાં અત્યાર સુધીમાં સીરમ ઈન્સ્ટિટયૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીને ઈમર્જન્સી વપરાશની મંજૂરી અપાઈ છે. આ બંને રસી ઈન્જેક્શન મારફત લેવાની હોય છે અને તેના બે ડોઝ લેવાના રહે છે.

Whatsapp Join Banner Guj

ભારતમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કર્યાના અત્યાર સુધી છ લાખ લોકોને રસીકરણ કરવામાં આવ્યુ છે અને સાડા ચાર લાખથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. રસી લેનારાઓની આ સંખ્યા દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સરખામણીમાં બમણાથી વધુ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કોરોનાની રસીઓ અંગે દેશમાં અત્યાર સુધીમાં વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ રસીકરણના અભિયાન દરમિયાન અર્થહીન સાબિત થઈ છે તેમ નીતિ આયોગના સભ્યએ કહ્યં છે.. દેશમાં ચાર દિવસમાં રસી અપાઈ છે તેમાંથી માત્ર ૦.૧૮ ટકા લોકોમાં રસીની આડ અસર જોવા મળી છે અને માત્ર ૦.૦૦૨ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. વિશ્વમાં કોઈપણ દેશમાં રસીકરણ અભિયાનના પહેલા ત્રણ દિવસમાં આ સૌથી નીચો દર છે. આ આંકડા સાબિત કરે છે કે ભારતમાં બનેલી રસીઓ એકદમ સલામત છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

અમદાવાદીઓ માટે ખુશ ખબરઃ ફિલ્મોમાં જોવા મળતી ક્રુઝ બોટની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ માણી શકાશે!