Sarangpur Darshan: આજે હનુમાન જયંતિ નિમિત્તે સારંગપુર જવાનું વિચારી રહ્યા હોય તો, જરુર વાંચી લો આ રુટ વિશે
Sarangpur Darshan: હનુમાન દાદા માટે 151 કિલોની કેક કાપવામાં આવશે
સારંગપુર, 16 એપ્રિલઃSarangpur Darshan: આજે હનુમાન જયંતિનો પર્વ છે. ગુજરાત અને રાજ્યની બહારથી પણ આ દિવસે લાખો ભક્તોની દરશન માટે ભીડ ઉમટે છે. તેવામાં જો તમે પણ જવાનું વિચારી રહ્યાં હોય તો એક વખત આ કાર્યક્રમ અને રુટ વિશે જરુરથી વાંચો….
- હનુમાન જયંતિ નિમિતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય ઉજવણી.
- વિશેષ પંચમુખી મારુતિ યજ્ઞનું આયોજન.
- વહેલી સવારથી જ 10 લાખથી વધારે ભાવિકો દર્શને ઉમટશે.
- 151 કિલોની કેક કાપવામાં આવશે.
- 7 કરોડની રકમથી તૈયાર કરેલ વિશેષ સુવર્ણ વાઘા શણગાર સજાવવામાં આવ્યા.
- પંચમુખી યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે.
- હનુમાન જયંતી નિમિત્તે દાદાના દરબારમાં પંચમુખી સમુહ મારુતી.
- જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે.
- દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.
લાખો લોકોના ટ્રાફિકને ધ્યાને લઈ મંદિર તરફ પ્રવેશવા માટેનો રૂટ.
- અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં ફક્ત કેરીયાઢાળથી વાહનો જ પ્રવેશી શકશે.
- કેરીયાઢાળ – લાઠીદડ – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
- બોટાદથી સાળંગપુર તરફ જતાં તમામ વાહનો માટે ફક્ત જ્યોતીગ્રામ સર્કલ, બોટાદ (ભાવનગર રોડ) – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
- અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી બોટાદ તરફ જતાં વાહનો માટે કેરીયાઢાળ – લાઠીદળ – જ્યોતિગ્રામ સર્કલ (બોટાદ)નો રૂટ વન વે રહેશે.
- સાળંગપુરથી અમદાવાદ – ધંધુકા -બરવાળા તરફ તથા ભાવનગર – વલ્લભીપુર તરફ જતાં વાહનો માટે સાળંગપુર -ખાંભડા -બરવાળા (સાળંગપુર રોડ T પોઇન્ટ) તરફનો રૂટ વન વે રહેશે.
- સાળંગપુરથી બોટાદ તરફ આવતાં વાહનો માટે સાળંગપુર – સેંથળી – એસ્સાર પેટ્રોલપંપ, બોટાદ (મિલિટ્રી રોડ T રોડ) રૂટ તરફથી વાહનો પસાર થઈ શકશે.
- બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ – મિલિટ્રી રોડ – રાણપુર – ધંધુકા રૂટ પરથી વાહનો પસાર થઈ શકશે.
- બોટાદથી બરવાળા તરફ જતાં વાહનો માટે સમઢીયાળા – લાઠીદડ – કેરીયાઢાળ તરફથી વાહનો પસાર થઈ શકશે.
આ રૂટ પર વાહનો પ્રવેશી શકશે નહીં.
- અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં વાહનો બરવાળા – સાળંગપુર T પોઇન્ટથી પ્રવેશી શકશે નહીં.
- બોટાદ એસ્સાર પેટ્રોલપંપ, મિલિટ્રી રોડ T પોઇન્ટથી સેંથળી – સાળંગપુર રોડ પર વાહનો પ્રવેશી શકશે નહીં.