રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ
- સરકારી અનુબંધ ડોકટરોને તરત ડયુટી પર આવવા આદેશ
- કોરોના ડ્યુટીમાં ના આવનાર ડોકટરો(MBBS doctors) સામે થશે કાર્યવાહી
- મહામારી અધિનિયમ અંતર્ગત હાથ ધરાશે કાર્યવાહી
ગાંધીનગર,26 એપ્રિલઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે રાજ્યમાં બેડ અને ઓક્સિજનની તંગી વચ્ચે હવે તબીબોની પણ કમી વર્તાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે બોન્ડ કરેલા એમબીબીએસ સ્નાતક તબીબોને(MBBS doctors) તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે અને હાજર ના થનાર તબીબો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે , ગુજરાતમાં કોરોના હોસ્પિટલોમાં ડોક્ટરોની કમીના મામલે સરકાર સાથે અનુબંધિત તમામ એમબીબીએસ(MBBS doctors) સ્નાતકોને તરત ડયુટી પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે સોમવારે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર રાજ્ય સરકાર મહામારી બીમારી અધિનિયમ હેઠળ કોરોનાની ડયુટી પર હાજર ના થનાર ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાં અનુસાર કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા છે. આદેશ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તૈયાર આધારભૂત માળખાની તુલનાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે માનવીય શક્તિ(MBBS doctors)ની કમી છે.
શિવહરેએ કહ્યું હતું કે અભૂતપૂર્વ રીતે કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને તાકીદે ડોક્ટરોની સેવાની જરૂર છે . આદેશમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધિત અંદાજે ૧૦૦૦ ડોક્ટર જેને ચિકિત્સા અધિકારી તરીકે નિયુકિત આપી દેવામાં આવી છે તેમણે તરત ડયુટી પર આવવાની જરૂર છે, આ ઉપરાંત તમામ જીલ્લા અને નગર પાલિકાના કમિશનરોને શિવહરેએ નિર્દેશ આપ્યો છે કે પોતપોતાના ક્ષેત્રમાં ડયુટી પર હાજર ના થનાર ડોકટરો(MBBS doctors) સામે મહામારી બીમારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો…..