સ્વાસ્થ્ય મંત્રાલયે કરી મોટી જાહેરાતઃ આ મહિના દરમિયાન ભારતમાં કોરોનાની રસીના આટલા કરોડ ડોઝ(vaccine dose) થશે ઉપલબ્ધ- વાંચો સંપૂર્ણ વિગત
દિલ્હી, 14 મેઃvaccine dose: ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે બહુ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની રસી(vaccine dose) માટે લોકો હાલ વલખાં મારી રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિના પછી ભારતમાં રસીની કોઈ ખેંચ નહીં રહે. એટલું જ નહીં, ભારત સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ આખા દેશના તમામ નાગરિકોનું એકસાથે ત્રણ મહિનામાં રસીકરણ થઈ જશે.
vaccine dose: ભારતમાં અનેક પ્રકારની રસી ઉપલબ્ધ હશે, જેની સૂચિ નીચે મુજબ છે.
1. કોવિશિલ્ડ – ૭૫ કરોડ ડોઝ
2. કોવેક્સિન – 55 કરોડ ડોઝ
3. બાયો ઈ સબ વેક્સિન – 30 કરોડ ડોઝ
4. ઝાયડસ કેડિલા – પાંચ કરોડ ડોઝ
5. એસ. આઇ. આઇ. નોવા વેક્સ – 20 કરોડ ડોઝ
6. બીબી નેસલ – દસ કરોડ ડોઝ
7. સીનોવા એમ. આર. એન. એ. – છ કરોડ ડોઝ
8. સ્પુટનિક – ૧૫ કરોડ ૬૦ લાખ ડોઝ
આમ ભારત સરકારે કોરોનાનાં મૂળિયાં ઉખાડી નાખવા માટે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનેશન(vaccine dose)નો જોરદાર કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આશા છે, ત્યારબાદ ભારતમાંથી કોરોનાની વિદાય થાય અને બધા પહેલા જેવું સામાન્ય રીતે જીવન જીવે…!