મમતા બનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- તમે તો દેશનો વિનાશ કર્યો પણ હું બંગાળમાં NRC કે NPRનો અમલ નહીં થવા દઉં
દિલ્હી, 10 ડિસેમ્બરઃ કોરોનાના કહેર પહેલા દેશમાં NRCની લઇને ઘણા મતભેદ તથા ચર્ચાઓ થઇ રહી હતી. ફરી એકવાર તે જ વિષય પર ચર્ચા થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, એમની સરકાર પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) અથવા નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર ( NPR)નો અમલ થવા દેશે નહિ. રાજ્યમાં રહેતા બધા જ લોકો દેશના નાગરિકો છે, જે સ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે એમ નથી.
મુખ્યમંત્રી સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (CAA)નો ઉપયોગ કરીને ભાજપ વિભાજનનું રાજકારણ ખેલતો હોવાનો આક્ષેપ કર્યો છે. મમતા બેનર્જીએ બાંગ્લાદેશ સાથેની સરહદને અડીને આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણાઝ જિલ્લામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, એનઆરસી અને એનપીઆર એ લોકોને રાજ્યબહાર ધકેલવાની ભાજપની ચાલ ગણાવી.
પશ્ચિમ બંગાળના ભાજપ પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે ગયા સપ્તાહે કહ્યું કે, કેન્દ્ર પશ્ચિમ બંગાળના મોટી સંખ્યામાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માગતું હોઇ આગામી જાન્યુઆરીથી સીએએનો અમલ મોટા ભાગે થશે.મમતાએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ પશ્ચિમ બંગાળને ગુજરાત બનવા દેશે નહિ. ભાજપે એના વિભાજક રાજકારણથી દેશમાં વિનાશ વેર્યો છે.
એમણે આક્ષેપ કર્યો કે દેશના કોર્પોરેટ ગૃહો એમની ઇચ્છા મુજબ કૃષિપેદાશો હસ્તગત કરી શકે એ માટે વડાપ્રધાને ખેડૂતોના હિતવિરોધી કૃષિ કાયદા ઘડયા છે.મમતા બેનરજીએ કહ્યું કે એમ્ફાન વાવાઝોડાના અસરગ્રસ્તોને નાણાકીય રાહત પૂરી પડાઇ હોવા સંબંધી ખોટા આક્ષેપો ભાજપ કરી રહ્યો હોવાનું એના પર દોષારોપણ કર્યું છે.
આ પણ વાંચો…
CM રૂપાણીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત કર્યા