A meeting of the leaders of the workers at Ambaji: શ્રમિકો ના વિવિધ સંગઠનો ના આગેવાનો ની એક બેઠક અંબાજી ખાતે આદિવાસી આશ્રમ શાળા માં યોજવામાં આવી
A meeting of the leaders of the workers at Ambaji: મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા શ્રમિકો ના વિવિધ સંગઠનો ના આગેવાનો ની એક બેઠક અંબાજી ખાતે આદિવાસી આશ્રમ શાળા માં યોજવામાં આવી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ જાન્યુઆરીઃ A meeting of the leaders of the workers at Ambaji: ગુજરાત સરકાર સંચાલિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા શ્રમિકો ના વિવિધ સંગઠનો ના આગેવાનો ની એક બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે આદિવાસી આશ્રમ શાળા માં યોજવામાં આવી હતી જેને શ્રમિક અગ્રણી ભારતીય મજદૂર સંઘ ના સ્થાપક તેમજ મહત્માગાંધી શ્રમ સંસ્થાન ના વાઈસ ચેરમેન હસમુખભાઈ દવે ના હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ મજુર મહાસંઘ ના પ્રમુખ દિલીપભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં ખાસ કરીને હિત મજુરો અને પ્રાકૃતિક ખેતીવાડી કરી પોતાની જાતે ઉભા થવા અહવાન કરાયું હતું અને અસંગઠિત ક્ષત્રો માં કામ કરતા શ્રમિકો ને ઈશ્રમ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિકો ને સ્થળ ઉપર ઈશ્રમ માટે ની પ્રોસેસ કરી હાથો હાથ ઈશ્રમ ના કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.
જેમાં ખાસ કરીને ઉપસ્થિત તમામ શ્રમિક સંગઠનો દ્વારા પોતાના વિસ્તાર માં કામ કરતા તમામ ખેત મજુરો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સફળ ખેતી કરે તે માટે ના સતત પ્રયત્નો કરવા હસમુખભાઈ દવે ( વાઈસ ચેરમેન,મહત્માગાંધી,શ્રમ સંસ્થાન)દ્વારા ખાસ અહવાન કરાયું હતું આ પ્રસંગે ડો.નિશાબેન વ્યાસ(આસિ.પ્રોફેસર)સંસ્થાના સંચાલક બંસીભાઈ, તેમજ શાળા શિક્ષણસ્ટાફ ઉપસ્થિતરહ્યા હતા.