Ahmedabad traffic police decisions: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયા મહત્વના નિર્ણય- વાંચો વિગત
Ahmedabad traffic police decisions: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે એવા નિર્ણયો લેવાયા છે જેનાથી શહેરની જનતાને અને નોકરી વાંચ્છુક ઉમેદવારોને ફાયદો થશે
અમદાવાદ, 25 નવેમ્બરઃ Ahmedabad traffic police decisions: અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે અલગ અલગ નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે એવા નિર્ણયો લેવાયા છે જેનાથી શહેરની જનતાને અને નોકરી વાંચ્છુક ઉમેદવારોને ફાયદો થશે. અમદાવાદમાં ભ્રષ્ટાચારી TRB જવાનો સામે ટ્રાફિક વિભાગે એક્શન લીધા છે. ઉલ્લેખનીય છે કે કારણવગર જનતાને હેરાન પરેશાન કરતા TRB જવાન સામે પોલીસ તંત્રની લાલઆંખ કરશે.
- ટ્રાફિક પોલીસમા ભ્રષ્ટચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો ઐતિહાસિક નિર્ણય
- ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ TRB જવાનનો સફાયો
- 700 જેટલા TRB જવાનો જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને છુટા કરાયા
- નવા 700 જેટલી TRB ની ભરતી કરાશે-3 વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરવામાં આવશે
- નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર,સોફ્ટ સ્કિલ ,સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે