Ambaji Bhadravi Punam Mahamelo-2023: ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માં અંબાની આરતી-દર્શનનો સમય જાહેર
Ambaji Bhadravi Punam Mahamelo-2023: ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) આરતી તથા દર્શનનો સમય
પાલનપુર, 14 સપ્ટેમ્બરઃ Ambaji Bhadravi Punam Mahamelo-2023: આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૦૮ (આઠમ) તા.૨૩ સપ્ટેમ્બરથી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૨૯ સપ્ટેમ્બર સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૩ અંબાજી ખાતે યોજાનાર હોઇ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તો અને જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.
ભાદરવા સુદ-૦૮ (આઠમ) થી સુદ-૧૫ (પુનમ) સુધી દર્શન તથા આરતીનો સમય
આરતી સવારે- ૦૬.૦૦ થી ૦૬.૩૦ કલાકે
દર્શન સવારે- ૦૬.૩૦ થી ૧૧.૩૦ કલાકે
રાજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાકે
આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૪.૦૦ કલાક સુધી
30 સપ્ટેમ્બરથી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
આ પણ વાંચો… Nepalese delegation reached India: પ્રાકૃતિક ખેતી વિશે જાણવા નેપાળનું પ્રતિનિધિમંડળ ભારત પહોંચ્યું