સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂંક, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

1588060976099 IMG 9397

સોમનાથ, 19 જાન્યુઆરીઃ સોમનાથ મંદિર ટ્રસ્ટની ગઇ કાલે એટલે કે 18 જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ બેઠક થઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આ વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના નેતા કેશુભાઈ પટેલ હતા. પરંતુ તેમના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી અને હાલમાં યોજાયેલી બેઠકમાં આ અધ્યક્ષ પદે પીએમ મોદીની વરણી કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે અને આ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ ધાર્મિક તીર્થ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે.અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ 11 જાન્યુઆરી સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. આ બેઠકમાં કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવનારી હતી.

આ પણ વાંચો….

માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ અમેરિકાનો સૌથી મોટો ખેડૂત બન્યો, 18 રાજ્યમાં 2,42,000 એકર જમીન ખરીદી