Bagdana: ગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા સહિત જિલ્લામાં ભાવિકો ઉમટ્યા
Bagdana: ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પોહચ્યા હતા અને સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી
ભાવનગર, 24 જુલાઇઃBagdana: ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પોહચ્યા હતા અને સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, તદ્દન સાદગીપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને ઈશ્વર સુધી પહોંચાડવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે અને જરૂર જણાયે ઈશ્વર ખુદ એક ગુરૂના રૂપે સૃષ્ટિમાં અવતાર ધારણ કરી દુરાચારનો અંત કરી સકળ જગતનું કલ્યાણ કરે છે.
એ સદ્દગુરૂનો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિ માં ભાવનગર(bagdana) શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિ ના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે.