Bholagiri Maharani dhuni Ambaji: અંબાજીમાં ભોળાગીરી મહારા ની ધૂણી 10 વર્ષ બાદ પુન: ધબકતી થઈ. .
Bholagiri Maharani dhuni Ambaji: અંબાજીમાં માનસરોવરની બાજુમાં આવેલી ભોળાગીરી મહારા ની ધૂણી 10 વર્ષ બાદ પુન: ધબકતી થઈ. .
Bholagiri Maharani dhuni Ambaji: યાત્રાધામ અંબાજીમાં માનસરોવરની બાજુમાં આવેલી ભોળાગીરી મહારા ની ધૂણી છેલ્લા 10 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તાળુ મારી કબજો પોતાના હસ્તક લીધો હતો આ ધૂણી મામલે લાંબા સમયથી નામદાર કોર્ટમાં ચાલી રહેલા વિવાદને લઇ પ્રતિવાદી ઉપસ્થિતન રહેતા ચુકાદો એક તરફે કરી દેવાયો હતો ને ત્યારથી આ ધૂણી છેલ્લા 10 વર્ષથી બંધ રહેતા ખંડેર જેવી બની ગયી હતી.
જોકે આ ધૂણી ના મહંત છોટુગીરી મહારાજ ના સહયોગી વિજયપૂરી મહારાજ છેલ્લા 4 દિવસ થી અન્નજળ છોડીને આ ધૂણી ખોલાવવા માટે ધરણા ઉપર બેઠા હતા જોકે આ મામલે નવ જાન્યુઆરી એ ધૂણીના મહંત છોટુગીરી મહારાજે અંબાજી મંદિર ટ્રસ્ ને બંધ પડી રહેલી ધૂણી ખોલી આપવા તેમજ સાધુ સંતની પરંપરા મુજબ પૂજાપાઠ કરવા દેવા અરજી પાઠવતા મંદિર ટ્રસ્ટે ગત મોડી રાત્રે મંદિર ટ્રસ્ટના અધિકારીઓ માનસરોવર પાસે ધૂણી ઉપર પહોચી સાધુ સંતોને પૂજા અર્ચના કરવા પરવાનગી આપી હતી.
અને ધૂણીને છેલ્લા 10 વર્ષ થી લાગેલા તાળા તોડી સાધુ સંતો ને ધૂણી માં પ્રવેશ કરાયો હતો જોકે આ સમગ્ર મામલે સંધુ સંતો એ મંદિર ટ્રસ્ટ ની ગાઈડ લાઈન પ્રમાણે નિવાસ કરવાની સાથે પ્રજા સાથે મિલનસાર સ્વભાવ થી વર્તણુક કરવા જણાવ્યું હતું ને છેલ્લા 4 દિવસ થી અન્નજળ ત્યાગી ને બેઠેલા વિજયપૂરી મહારાજે પણ ધૂણી ખુલી જતા પોતાના ધારણા સમેટી લીધા હતા ને મંદિર ટ્રસ્ટ સહીત પ્રજા નો આભાર માન્યો હતો.
આ પણ વાંચો…Wife swapping racket: ચાલી રહ્યો હતો પત્નીઓની અદલા-બદલીની રમત, 7 લોકોની પોલીસે કરી ધરપકડ