ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો, છેલ્લા 24 કલાકમાં 505 કેસ

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

ગાંધીનગર, 17 જાન્યુઆરીઃ ગઇ કાલે કોરોનાની રસીનું રસીકરણ શરુ થઇ ચુક્યું છે. તેવામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 505 કેસ નોંધાયા છે. તો સામે 764 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 લોકોના મોત થયા છે. જેમાં રાજકોટમાં 2 અને અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે.

Whatsapp Join Banner Guj

આમ રાજ્યમાં આજદિન સુધીમાં 4363 લોકોના મોત થઇ ચૂક્યા છે. સમગ્ર રાજયમાં હવે કુલ 6588 જેટલા એક્ટિવ કેસ છે. તો હજુ પણ 53 દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામા આવી રહી છે.

આ પણ વાંચો….

હિમવર્ષાની સાથે જમ્મુ કાશ્મીરમાં 4.1ની તીવ્રતાએ આવ્યો ભૂકંપનો આંચકો