બ્રેક ફાસ્ edited 1

સવારે નાસ્તો કરવો શા માટે જરુરી? જાણો બ્રેકફાસ્ટનું મહત્વ અને લાભ

બ્રેક ફાસ્ edited 2

અમદાવાદ,02 ડિસેમ્બર: સવારની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે “બ્રેકફાસ્ટ”. બ્રેકફાસ્ટ શબ્દ એ બ્રેકિંગ ધ ફાસ્ટ-ઉપવાસ તોડવાનો પરથી ચલણમાં આવ્યો છે. દિવસના તમામ ભોજનમાં સૌથી અગત્યનું ભોજન છે સવારનો નાસ્તો. ખાસ કરીને 7-8 કલાકની ઊંઘ પછી, પેટમાં કશું જ ન નાખો તેને બદલે દિવસનું એ પહેલું ખાણું છે એટલે મૂઠીભર સૂકો મેવો કે કોઈ સિઝનલ ફળ ખાવું એ દિવસની સરસ શરૂઆત કરવા માટે યોગ્ય રીત છે.

આ નાસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઓછી ચરબી અને વિટામીન, કેલ્શિયમ, આયર્ન જેવાં ખનિજો અને ફાયબર જેવા ન્યુટ્રિઅન્ટ્સનું હેલ્ધી અને સારું કોમ્બિનેશન હોવું જોઈએ, જેથી પછીના ખાણા સુધી એનર્જેટિક રહી શકાય. સવારે ભૂખ્યા રહેવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને પછી અનહેલ્ધી નાસ્તો કે જમવામાં વધારે ખાવાથી વજન ઊલટાનું વધી જાય છે. તેથી, સવારના ઊઠ્યા પછી 30 મિનિટ્સથી 1 કલાકની અંદર, દિવસની કુલ કેલરી પૈકી 250-300 કેલરીનો હેલ્ધી નાસ્તો ખાવા માટે સલાહ આપવામાં આવે છે.

whatsapp banner 1

બ્રેકફાસ્ટના લાભ

  • આખા દિવસના કાર્યને પૂર્ણ કરવા માટે એનર્જી લેવલને બૂસ્ટ કરવું..
  • બ્રેકફાસ્ટ આપણા મગજના કાર્યને યોગ્ય રીતે જાળવવા માટે, શરીરના ગ્લુકોઝ લેવલને અંકુશમાં રાખવામાં તેમ જ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને આવશ્યક પોષક તત્વો પૂરાં પાડવા માટે મદદ કરે છે.
  • શરીરના મેટાબોલિઝમમાં વધારો કરે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હાયપરટેન્શન, ટાઇપ 2 ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ લેવલ વગેરેનું જોખમ ઘટાડે છે.
  • બાળકોને તેમના શરીરના ગ્રોથ અને વિકાસ માટે દૈનિક ધોરણે ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખાંડનું ઓછું અને ફાયબરનું ઊંચું પ્રમાણ ધરાવતો સારો તંદુરસ્ત નાસ્તો તેમને તેમના અભ્યાસ પર ધ્યાન – કેન્દ્રિત કરવા, એકાગ્રતાના લેવલમાં સુધારો લાવવા અને વધુ એટેન્ટિવ બનવા માટે મદદ કરશે..
  • પૌષ્ટિક પદાર્થો સાથેનું બ્રેકફાસ્ટ મેનૂ શરીરના મેટાબોલિઝમને કિક આપતી શરૂઆત કરશે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તંદુરસ્ત નાસ્તો ખાવાથી દિવસ દરમિયાન વધુ એલર્ટ અને એસર્ટિવ રહી શકાય છે..
  • 2010ના ડાયેટરી ગાઇડલાઇન્સ એડવાઇઝરી સમિતિના રિપોર્ટ અનુસાર, જે બાળકો/કિશોરો નાસ્તો સ્કિપ કરે છે તેઓનું વજન અને સ્થૂળતા વધારે પ્રમાણમાં વધી જાય છે.
  • એક સારો નાસ્તો મૂડ પણ સારો કરી શકે છે.
  • સગર્ભા સ્ત્રીઓ માટે બ્રેકફાસ્ટ સૌથી મહત્વનું ભોજન છે, જેમને ગર્ભના પોષણ માટે વધારાની કેલરીની જરૂર છે. ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ફોલિક એસિડની જરૂરિયાત સૌથી વધારે હોય છે. તેથી કેળા, નારંગી જેવાં ફળો, રાંધેલા મસૂર, પાલક વગેરે જેવા ફોલિક એસિડના સારા સ્રોત જેવી ચીજો ચોક્કસ લેવી જોઈએ.
  • જેમ જેમ શરીર વૃદ્ધ થાય છે તેમ, સ્નાયુઓ, સ્વાદની ભાવના વગેરે ગુમાવવા લાગે છે જેથી પૂરતાં પોષક તત્ત્વો મળવાના અટકી જાય છે, તેથી સંપૂર્ણ આહાર જેમ કે ફળો, ઓટ્સ સાથેનું દૂધ વગેરે સાથેનો નાસ્તો ઉમેરીને તમામ ન્યુટ્રિઅન્ટ્સ મેળવામાં મદદ કરશે.