અમદાવાદ મંડળના 7 જાગૃત અને સાવચેત રેલ્વે સલામતી (Railway safety) રક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ મંડળના 7 જાગૃત અને સાવચેત રેલ્વે સલામતી (Railway safety) રક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ , ૧૩ માર્ચ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે સલામતી (Railway safety પ્રત્યે જાગૃત રહેવાવાળા અને સતર્કતા સાથે ઉત્તમ કાર્ય કરનારા 7 રેલવે કર્મચારીઓને વેબીનાર ના માધ્યમે પશ્ચિમ રેલ્વેના મહા પ્રબંધક આલોક કંસલની ઉપસ્થિતિમાં અમદાવાદ મંડળના ડીઆરએમ દિપકકુમાર ઝા દ્વારા મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.
ડીઆરએમ ઝાએ કહ્યું કે સલામતી એ રેલ્વેમાં આપણી પ્રાથમિકતા છે અને દરેક રેલકર્મી આ માટે સજાગ છે. ફરજ દરમિયાન તેમની તકેદારીની ચેતવણી રેલ્વે અકસ્માતોની સંભાવનાને (Railway safety દૂર કરે છે, જ્યારે આ કુશળ અને ચેતવણી રક્ષકો અન્ય રેલકર્મીઓ માટે અનુકરણીય ઉદાહરણો પણ બને છે.
વરિષ્ઠ મંડળ સલામતી અધિકારી એ. વી. પુરોહિતના જણાવ્યા અનુસાર 7 રેલ્વે કર્મચારીઓ પૈકી જેમણે ઉત્તમ કાર્ય કર્યું છે જેમાં બૈજુ પ્રસાદ સ્ટેશન માસ્ટર ચાંદલોડિયા, રામધન મીણા લોકો પાઇલટ ગાંધીધામ, રાજારામ ગોપાલ એમસીએફ સાબરમતી,મોહમ્મદ હુસેન પ્લેટફોર્મ પોર્ટર માલિયા મિયાના, અભિષેકકુમાર પ્લેટફોર્મ પોર્ટર હલવદ, દિલીપ એસ. પોઇન્ટસમેન ધાંગધ્રા, અને ધર્મવીરસિંહ બગેલ સ્ટેશન માસ્ટર પદમપુર. જેમણે સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવા માટે સમર્પણ, નિષ્ઠા અને સખત મહેનત સાથે કામ કર્યું હતું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી જેથી શક્ય અકસ્માતો ટાળી શકાય.
આ પણ વાંચો…જુઓ Photos: સલમાન ખાનની આ એક્ટ્રેસે બાથટબમાં આપ્યા હૉટ પોઝ, ફોટો થયા વાયરલ