નાયબ મુખ્યમંત્રીની ઇન્ટર્ન ડોક્ટર્સને કડક ચેતવણીઃ કોરોનાકાળમાં સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન ન કરવો

Nitin Patel

અમદાવાદ, 14 ડિસેમ્બર: હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે ફ્રન્ટ લાઇન વોરિયર ગણાતા ડોક્ટર્સમાં હવે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આજ વહેલી સવારથી જ હડતાળ પાડીને ડોક્ટર્સે કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ ડોક્ટર્સને પત્રકાર પરિષદ કરીને કડક ચેતવણી આપી હતી. પત્રકાર પરિષદમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી અને આરોગ્ય કમિશ્રર શિવહરે પણ હાજર રહ્યા હતા.

નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ જયંતિ રવિ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરેના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યો છે. રાજ્ય સરકારની 6 મેડિકલ કોલેજો અને રાજ્ય સરકાર હસ્તકની 8 GMERS કોલેજ કાર્યરત છે. હાલ અમદાવાદ સિવિલથી માંડીને રાજકોટ, જૂનાગઢ, પાટણ, વડનગર, મહેસાણા, ગાંધીનગર અને વલસાડ સહિતની કોરોનાની કામગીરીમાં જોડાયેલા છે. દર વખતે રિવ્યુ મીટિંગ કરવામાં આવે છે. કોરોના સમયગાળામાં કોઇએ સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. હાલ રાજ્યમાં ફરી એકવાર કોરોનાની સ્થિતી થાળે પડી રહી છે. દર્દીઓની સંખ્યામાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે.

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી પુર્ણ થઇ ચુકી છે. નવા પ્રથમ પ્રશ્નો મેડિકલનું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું થાય છે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. મેડિકલ ટીચીંગ સ્ટાફ માટેની તૈયારીઓ અને હોસ્ટેલની પણ તૈયારીઓ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. 3 કલાક ચાલેલી મીટિંગમાં બધી કામગીરી સંતોષજનક છે. આરોગ્યમંત્રી તરીકે હું આ કામગીરીને અભિનંદન આપુ છું.

whatsapp banner 1

દેશ વિદેશની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરીને વિદ્યાર્થીઓ અહીયાં આવે તો ઇન્ટરશિપ કરવા માટે એક લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. ત્યાર પછી એ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી શકે છે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 1 લાખ રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે. ત્યાર બાદ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી શકશે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 12 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે ચુકવાય છે. તેમ છતા દર્દીઓની સુવિધા જોયા વગર સરકારને ખોટી રીતે દબાવીને હડતાળ પાડે તે યોગ્ય નથી. જો વિદ્યાર્થીઓ હડતાળ ચાલુ રાખશે તો તેમની ગેરહાજરી પુરવાનું ચાલુ કરવામાં આવશે. પીજીમાં જે જરૂરી છે તે હાજરી નહી હોય તો તેમને જ નુકસાન થશે. બિન શરતી ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થી હડતાળ પાછી ખેંચે નહી તો તેમને ગેરહાજરી ભરાવાનું ચાલુ થશે. સરકારને દબાણમાં લઇને કોઇ સરકારની મજબૂરીનો લાભ કે દર્દીઓની મજબુરીનો લાભ લેવા પ્રયત્ન કરશો તો સહેજ પણ ચલાવી લેવાશે નહી.

અમદાવાદ સિવિલ અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સિવિલમાં સવારે 8થી 2 વાગ્યા સુધી ઓપીડી ચાલતી હતી. જો કે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે, હોસ્પિટલમાં સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આવશે. હવે નવી ઓપીડી સાંજે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. દિવાળી સમયે કોરોના દર્દીઓને ક્યાં દાખલ કરવા તે સવાલ હતો જો કે હવે 84 ટકા બેડ ખાલી છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

રાજ્યમાં ખાનગી નિષ્ણાત તબીબો ની પ્રેક્ટિસ સારા પ્રમાણે ચાલે છે જાણીતા ડોક્ટર છે દર્દીઓ દેશ વિદેશમાંથી આવે છે આવા ડોક્ટરોનો નો લાભ સરકારી હોસ્પિટલમાં લેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોની સેવા અમદાવાદમાં,સુરતનો નિષ્ણાત ડોક્ટરોની સેવા સુરતમાં એમ જે તે જિલ્લાના નિષ્ણાત ડોક્ટરોની સેવા સરકારી હોસ્પિટલમાં લેવાનો સરકારે નિર્ણય કર્યો માણસ સેવા તરીકે સેવા લેવામાં આવશે. પ્રતિષ્ઠિત ડોક્ટર્સ વિના મુલ્યે હોસ્પિટલમાં સેવા આપશે.મેડિકલ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે પરવાનગી માંગી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. મોરબી હોસ્પિટલમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંન્ને ગ્રાન્ટ આપશે. સરકાર સત્તાવાર પત્ર લખીને આ વર્ષથી 100 મેડિકલ સીટ સાથેની કોલેજને મંજુરી આપી છે. ગુજરાતને વધારે એક મેડિકલ કોલેજ મળી છે.
આ પણ વાંચો…
31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય