vishnu210

નોકરી કે લગ્નમાં આવતી અડચણોને દૂર કરવા કરો આ ઉપાય, બનશે બધા કામ સરળ

vishnu210

જ્યોતિષ ડેસ્ક,07 જાન્યુઆરીઃ દેવોના ગુરુ બૃહસ્પતિને સુખ-સમૃદ્ધિના દેવ માનવામાં આવે છે. તેથી એમના દિવસ એટલે કે ગુરુવારે એમની પૂજા કરવામાં આલે તો જીવનમાં આવતી તકલીફો નાશ પામે છે. નોકરીથી લઇને લગ્ન જેવા કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. ગુરુવારે આ રીતે ઉપાય કરીને તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો.

  • ગુરુવારે સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં સોનાનો સિક્કો કે અંગુઠી નાંખીને સ્નાન કરો. આાથી ગુરુ મજબુત થાય છે.
  • ધનપ્રાપ્તિ માટે પીળી કોડીને ગંગાજળખી સ્વચ્છ કરીને પીળા રેશમી કાપડમાં લપેટીને બૃહસ્પતિ ભગવાનના ચરણોમાં મુકી દો. એ પછી તેને તિજોરીમાં મુકવાથી ધનમાં વૃદ્ધિ થશે.
  • ગુરુવારે જરૂરિયાતવાળા લોકોને પીળા વસ્ત્રો કે પીળા ભોજનનું દાન કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવે છે.
Whatsapp Join Banner Guj
  • ગુરુવારે સૂર્યોદય થાય ત્યારે ચોખ્ખા ઘીનો દીવો કરીને વિષ્ણૂ સહસ્ત્રનામના પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે તમારી બધી મનોકામના પૂર્ણ કરશે.
  • પોતાના કામમાં સફળતા ઇચ્છતા લોકોએ ગુરુવારે કપાળે કેસરનો તિલક કરવો જોઈએ.
  • પતિના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે આજના દિવસે પરણિત સ્ત્રીઓએ સેંથામાં પીળું સિંદૂર પૂરવું જોઈએ.
  • ગુરુવારે સાંજે કેળાના છોડ પાસે દેશી ઘીનો દીવો કરવાથી બૃહસ્પતિ ભગવાન પ્રસન્ન થાય છએ અને ઘરમાં ખુશીઓ આવે છે.
  • જો તમારા લગ્નમાં બાધાઓ આવતી હોય તો ગુરુવારનો ઉપવાસ કરો. સાથે જ કેળાના છોડના મૂળમાં હળદર ચઢાવીને જળ ચઢાવો. સાથે જ પલાળેલા ચણાની દાળ અને ગોળનો પ્રસાદ કરો. આ ઉપાયથી તમારા લગ્ન જલદી થશે.
  • સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હોય તેવાં લોકોએ ગુરુવારે પીળા કપડાં પહેરવા જોઈએ. ઘરની બહાર જતી વખતે હાથમાં પીળો રૂમાલ કે પછી પીળું પર્સ રાખવું જોઈએ.

આ પણ વાંચો…

સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવા, કોંગ્રેસના મહાસચિવે કરી માંગણી