નિકાસ કર્તાઓને મોટી રાહત, હવે ટેક્સમાં થશે ફાયદોઃ વાંચો સંપૂર્ણ અહેવાલ
નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે આર્થિક રીતે પણ નુકશાન થયું છે. વિશ્વનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. હવે સરકારે આર્થિક અર્થતંત્રને ઉચુ લાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નિકાસ થતી તમામ વસ્તુઓ પર ટેક્સ રિફંડ યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સરકારે જાહેર કરેલી આ યોજના હેઠળ 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષથી જ નિકાસકારોને ટેક્સ રિફંડ યોજનાનો લાભ મળશે. આ પૈસાનો ઉપયોગ તેઓ આયાતી વસ્તુ પર ડ્યુટી ચુકવવામાં કરી શકાશે.