Unemployment in India: દેશમાં 25 વર્ષથી નીચેના આટલા ટકા યુવાનો બેરોજગાર, રિપોર્ટના આંકડા ચોંકવનારા…
Unemployment in India: દેશના 25 વર્ષથી ઓછી ઉંમરના 42.3 ટકા યુવા સ્નાતકો બેરોજગાર છે
અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ Unemployment in India: દેશમાં લોકોની બચત 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે અને લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે, આ અહેવાલ પ્રથમ આરબીઆઈ વતી જાહેર કરવામાં આવ્યો હતો. હવે દેશમાં બેરોજગારીઅંગે એક રિપોર્ટ સામે આવ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે .
અઝીમ પ્રેમજી યુનિવર્સીટી વતી બહાર પાડવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર, દેશના 25 વર્ષથી ઓછી ઉંમરના 42.3 ટકા યુવા સ્નાતકો બેરોજગાર છે. દેશમાં બેરોજગારીનો દર 2019-20માં 8.8 ટકા હતો, જે 2020-21માં ઘટીને 7.5 ટકા અને 2022-23માં 6.6 ટકા થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર દેશના શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનો દર વધ્યો છે.
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023ના સંદર્ભમાં આ માહિતી બહાર આવી છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ 22.8 ટકા બેરોજગારી દર 25 થી 29 વર્ષની વયના યુવાનોમાં છે. હાઈસ્કૂલમાં શિક્ષણ ધરાવતા 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં બેરોજગારીનો દર 21.4 ટકા છે, જે સૌથી વધુ છે. 35 અને તેથી વધુ વયના સ્નાતકોમાં બેરોજગારીનો દર પાંચ ટકાથી ઓછો છે. જ્યારે 40 વર્ષ અને તેથી વધુ વયના સ્નાતકોમાં બેરોજગારીનો દર માત્ર 1.6 ટકા છે.
રિપોર્ટ અનુસાર, 25 વર્ષથી ઓછી ઉંમરના અભણ યુવાનોમાં બેરોજગારીનો દર 13.5 ટકા જોવા મળે છે. જ્યારે 40 વર્ષ અને તેથી વધુ વયના અશિક્ષિત જૂથમાં બેરોજગારીનો દર 2.4 ટકા છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીનો આ રિપોર્ટ સરકારી ડેટા પર આધારિત છે.
આ રિપોર્ટ NSOના રોજગાર-બેરોજગારી સર્વે, લેબર ફોર્સ સર્વે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ, પોપ્યુલેશન સેન્સસ જેવા સત્તાવાર આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કર્ણાટક અને રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ડિયા વર્કિંગ સર્વે નામનો વિશેષ સર્વે પણ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો હોવા છતાં આવકનું સ્તર સ્થિર રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કોરોના મહામારીના ફટકા પહેલા જ મહિલાઓની આવકમાં ઘટાડો થવા લાગ્યો હતો. 2004 થી, સ્ત્રી રોજગાર દર કાં તો ઘટી રહ્યો છે અથવા સ્થિર છે.
2019 થી મહિલાઓની રોજગારીમાં વધારો થયો છે. રોગચાળા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વરોજગારીનો આશરો લીધો છે. કોરોના મહામારી પહેલા 50 ટકા મહિલાઓ સ્વરોજગાર કરતી હતી અને મહામારી પછી આ આંકડો વધીને 60 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચો… Loksabha Election 2024: 2024ની લડાઈ પહેલા ભાજપને દક્ષિણમાં મોટી તાકાત મળી, આ પાર્ટી સામેલ થઇ NDAમાં…