બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા, AIIMS કરવામાં આવ્યા દાખલ
નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ યાદવે એર એમ્બ્યુલન્સ થકી રાંચી એમ્સથી દિલ્હી લાવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમની સાથે બિહારની પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પત્ની રાબડી દેવી અને દિકરા તેજસ્વી યાદવ પણ હાજર છે.
ઉલ્લેખનીય છે કે, ફેફસામાં સંક્રમણ અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓથી લાંબા સમયથી પરેશાન છે અને ગુરુવાર રાતથીજ તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને ડૉક્ટરોની દેખરેખમાં રિમ્સમાં રાખવામાં આવ્યા હતા. એમ્સ દિલ્હીના ડૉક્ટર પ્રમાણે લાલૂ યાદવની ઉંમર વધારે હોવાના કારણે સમસ્યા વધારે છે. તેને જોતા કાર્ડિયોલોજિસ્ટ, લંગ્સ અને કિડની સ્પેશલિસ્યની નિગરાનીમાં તેમની સારવાર શરૂ કરવામાં આવ્યું છે.
રાંચીમાં તેમની તબિયત વધારે ખરાબ હોવાના કારણે લાલૂ પ્રસાગ યાદવને રિમ્સને ડૉક્ટરોએ એમ્સ દિલ્હી રેફર કર્યા હતા. ત્યારબાદ તેમને તરત એર એમ્બ્યુલન્સ થકી દિલ્હી લાવવામાં આવ્યા. આ દરમિયાન કોર્ટથી તેમની સાથે રાબડી દેવી અને દિકરા તેજસ્વીને પણ સાથે આવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો…
હસ્તરેખાઃ જુઓ, તમારા હાથમાં આ રેખા છે, તો તમને ક્યારેય નહીં થાય આર્થિક મુશ્કેલી!