દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીની પ્રપૌત્રી(lata ramgobin) પર લાગ્યા ગંભીર આરોપ, કોર્ટે આપી 7 વર્ષની સજા- જાણો શું છે કારણ?
મુંબઇ, 08 જૂનઃ મહાત્મા ગાંધીની પ્રપૌત્રી(lata ramgobin)ને ફ્રૉડ કરવા બદલ દક્ષિણ આફ્રિકાની એક સ્થાનિક કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 56 વર્ષની લતા રામગોબિન પર છેતરપિંડીનો આરોપ હતો. લતા રામગોબિન મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીની પુત્રી છે.
સોમવારે દક્ષિણ આફ્રિકાના ડરબનની સ્થાનિક કોર્ટે લતા રામગોબિન(lata ramgobin)ને દોષી જાહેર કરી હતી. તેના પર 6 મિલિયન દક્ષિણ આફ્રિકન રેંડ (જેનું ભારતીય કરન્સીમાં 3 કરોડ 22 લાખ 84 હજાર 460 રૂપિયા મૂલ્ય થાય છે )નો ફ્રૉડ કેસ હતો. બિઝનેસમૅન એસ. આર. મહારાજ સાથે છેતરપિંડી કરી હોવાનો તેના પર આરોપ મુકાયો હતો.
લતા રામગોબિન પર આરોપ હતો કે, તેમણે બિઝનેસમેન એસ આર મહારાજ સાથે છેતરપીંડી કરી હતી. એસ આર મહારાજે તેમણે ભારતમાં રહેલા એક કંસાઈનમેંટ માટે આયાત અને કર તરીકે 6.2 મિલિયન રેંડ (આફ્રિકન ચલણ) એડવાંસમાં આપ્યા હતા. આશિષ લતા રામગોબિને તેને નફામાં ભાગીદારી આપવાની વાત કહી હતી.
આશિષ લતા રામગોબિને(lata ramgobin) ડરબન સ્પેશલાઈઝ઼્ડ કમર્શિયલ ક્રાઈમ કોર્ટે આરોપ સિદ્ધ થતાં અને સજા થયા બાદ આરોપ વિરુદ્ધ અપીલને અનુમતી આપવાનો ઈન્કાર કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, આશિષ લતા ખ્યાતનામ એક્ટિવિસ્ટ ઈલા ગાંધી અને દિવંગત મેવા રામગોવિદની દિકરી છે.
સોમવારે ડર્બનની અદાલતમાં સુનાવણી દરમિયાન જાણ કરવામાં આવી હતી કે લતા રામગોબિન(lata ramgobin) ઓગસ્ટ 2015 માં ન્યૂ આફ્રિકા એલાયન્સના ફૂટવેર વિતરકોના ડિરેક્ટર, મહારાજને મળ્યા હતા. લતા રામગોબિને મહારાજને કહ્યું કે તેણે દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ જૂથ નેટકેર માટે શણના ત્રણ કન્ટેનર આયાત કર્યા છે.
નોંધનીય છે કે, ન્યુ આફ્રિકા એલાયન્સ ફુટવેર ડિસ્ટ્રિબ્યુટર્સ કંપની કપડાં, શણ અને ફૂટવેર આયાત કરે છે, બનાવે છે અને વેચે પણ છે. મહારાજની કંપની અન્ય કંપનીઓને પણ નફો શેરના આધારે નાણા આપે છે. એનપીએની પ્રવક્તા નતાશા કારાએ જણાવ્યું હતું કે લતા રામગોબિને(lata ramgobin) કહ્યું હતું કે તેમને આયાત ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચૂકવવા માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બંદર પર સામાન ખાલી કરવા માટે તેમને પૈસાની જરૂર હતી.
આ પછી લતા રામગોબિને મહારાજ(lata ramgobin)ને કહ્યું કે તેમને 6.2 મિલિયન રેન્ડની જરૂર છે. સંબંધિત દસ્તાવેજો પણ બતાવ્યા. જેમાં માલની ખરીદી સંબંધિત દસ્તાવેજો હતા. એક મહિના પછી, ફરીથી લતા રામગોબિને એસઆર મહારાજને બીજો દસ્તાવેજ મોકલ્યો, જે નેટકેર ચાલન હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે માલ પહોંચાડવામાં આવ્યો છે અને ચૂકવણી કરવામાં આવી નથી.
તે પછી, રામગોબિનના પારિવારિક ઓળખપત્રો અને નેટકેર દસ્તાવેજોને લીધે, મહારાજે તેમની સાથે લોન માટે લેખિત કરાર કર્યો. જો કે, જ્યારે મહારાજને ખબર પડી કે દસ્તાવેજો બનાવટી છે અને નેટકેરનો લતા રામગોબિન સાથે કોઈ કરાર નથી, ત્યારે મહારાજે રામગોબીન વિરુદ્ધ કેસ દાખલ કર્યો.
આ પણ વાંચો….