Ram Mandir Update: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સળગાવવાની 108 ફૂટ લાંબી અગરબત્તી પહોંચી અજમેર
Ram Mandir Update: અજમેરના દિલવાડામાં અગરબત્તી જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી
અમદાવાદ, 06 જાન્યુઆરીઃ Ram Mandir Update: અયોધ્યાના ઈતિહાસમાં 22 જાન્યુઆરીએ એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. વાસ્તવમાં ભવ્ય રામ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. તેને લઈને દેશભરમાં તહેવાર જેવો માહોલ છે. રામ ભક્તો ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે અને તેમની મૂર્તિના દર્શન કરવાની ભારે ઈચ્છા છે.
આ દરમિયાન માહિતી સામે આવી છે કે, ગુજરાતમાંથી અયોધ્યા લાવવામાં આવી રહેલી 108 ફૂટ લાંબી અગરબત્તી રાજસ્થાનના અજમેર પહોંચી છે. અજમેરના દિલવાડામાં અગરબત્તી જોવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. અગરબત્તી લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે ભજન-કીર્તન કર્યું અને આખી રાત પૂજા કરી.
આ પણ વાંચો…. Jal Jeevan Mission: ભારતના 14 કરોડ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પાણી માટે નળ કનેક્શન મળ્યું