ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત
નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ પશુઓની હત્યાના વધતા કિસ્સાને વિરામ આપવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ગૌહત્યા સામેના વટહુકમ પર હસ્તાકક્ષર કર્યા છે. જેમાં પશુઓને હત્યા કરવા બદલ સજાની જોગવાઇ કરેલ છે. તથા ગાયને બચાવવા માટે કામ કરતા લોકોને સુરક્ષા પુરી પાડવામાં આવશે.
આ વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, તસ્કરી, ગેરકાયદેસર પરિવહન અને અત્યાચાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જો કે આ સાથે સંબંધિત બિલને હજી સુધી વિધાન પરિષદ દ્વારા મંજૂરી મળી નથી. તેથી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો…
સિરિયલ ભાભીજી ઘર પર હૈ’ ના વિભૂતિજીને મળી નવી પત્ની, હવે આ ભજવશે ગોરી મેમનો રોલ