Gauri Vrat 2022: ગૌરીવ્રત (ગોરો) કરવાના લાભ અને ધાર્મિક મહત્વ
Gauri Vrat 2022: ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે
ધર્મ ડેસ્ક, 09 જુલાઇઃ Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે.
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે.
આ પણ વાંચોઃ Actor vikram hospitalised: સાઉથ સુપરસ્ટાર વિક્રમને હાર્ટ એટેક આવ્યો, હાલ સારવાર હેઠળ