janmashtami

Janmashtami 2023: જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો આ વસ્તુઓ, વાંચો વિગતે…

Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે ઘરમાં નાની લાકડાની અથવા ચાંદીની વાંસળી લાવો

ધર્મ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ Janmashtami 2023: જન્માષ્ટમી શ્રીકૃષ્ણની જન્મજયંતિ તરીકે દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો જન્માષ્ટમી માટે અનેક પ્રકારની તૈયારીઓ કરે છે અને ભગવાન કૃષ્ણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે. સાથે જ તેમના આશીર્વાદ મેળવે છે. આ સિવાય ઘણા લોકો જન્માષ્ટમીના દિવસે કેટલીક વસ્તુઓ ચોક્કસથી ઘરે લાવે છે.

એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી પર વસ્તુઓ ઘરમાં લાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ ખાસ વાતોને મહત્ત્વની કહેવામાં આવી. તેથી આ શુભ દિવસે આ ખાસ વસ્તુઓને ચોક્કસથી ઘરે લાવો.

જન્માષ્ટમીના દિવસે આ 5 વસ્તુઓ ઘરમાં અવશ્ય લાવશો

મોરપીંછઃ ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે અને શ્રી કૃષ્ણ હંમેશા પોતાના મુગટ પર મોરપીંછ પહેરતા હતા. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોરપીંછ સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીના દિવસે ઘરે મોરપીંછ લાવવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને કાલસર્પ દોષથી પણ રાહત મળે છે.

વાંસળીઃ વાંસળી પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુઓમાંની એક છે અને વાંસળી પ્રત્યેના તેમના પ્રેમને કારણે, શ્રી કૃષ્ણને બંસીધર કહેવામાં આવે છે. તેથી જન્માષ્ટમીના દિવસે ઘરમાં નાની લાકડાની અથવા ચાંદીની વાંસળી લાવો. શ્રી કૃષ્ણને પૂજામાં અર્પણ કરો અને પછી વાંસળીને ધન સ્થાન અથવા તિજોરીમાં રાખો. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે.

ગાય અને વાછરડુંઃ ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગાયમાં દેવ ગુરુ ગ્રહનો વાસ છે અને જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મૂર્તિ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે. તમે તેને ઘરના મંદિરમાં અથવા રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખી શકો છો. તેનાથી ભાગ્ય વધે છે અને સંતાનો તરફથી પણ ખુશી મળે છે.

માખણઃ ભગવાન શ્રી કૃષ્ણને માખણ એટલું પ્રિય હતું કે તેઓ બીજાના ઘરમાંથી માખણ ચોરીને ખાતા હતા અને તેથી જ તેમને માખણ ચોર પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીના દિવસે માખણ અવશ્ય ખરીદો અને શ્રીકૃષ્ણને અર્પણ કરો. તેનાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ તેમના શુભ આશીર્વાદ મેળવે છે.

ગંગાજળઃ જન્માષ્ટમીના દિવસે તમે ઘરમાં ગંગાજળ લાવી શકો છો અને દરરોજ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી શકો છો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

આ પણ વાંચો… Janmashtami Special Train: આણંદ-ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચાલશે, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો