Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ
Parivartni ekadshi 2022: એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે
ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃParivartni ekadshi 2022: મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશી છે. આ વ્રત ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન આવે છે, આ કારણે તેનું મહત્ત્વ વધી ગયું છે.
એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આ વ્રતમાં અનાજ ખાવું જોઈએ નહીં. માત્ર ફળાહાર કરવાથી પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ વખતે મંગળવાર, ગણેશ ઉત્સવ સાથે એકાદશી હોવાથી આ દિવસે ગણેશજી, વિષ્ણુજી અને મંગળ ગ્રહની ખાસ પૂજા કરવાનો શુભ યોગ બની રહ્યો છે.