Hanuman ji

Shanivar Upay: શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, બની જશે બગડેલા કામ

Shanivar Upay: શનિવારે નિયમ અને વિધિથી હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ધર્મ ડેસ્ક, 23 જુલાઇઃ Shanivar Upay: શનિવારના દિવસે વિધિ-વિધાનથી હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજી આ કળિયુગમાં જાગૃત દેવતા છે અને અજર અમર છે. હનુમાનજી એ લોકોમાંથી છે જે ભગવાન શ્રી રામને પ્રિય હોય. માટે જ્યાં ભગવાન રામનો વાાસ હોય ત્યાં હનુમાનજી હાજરા-હજુર હોય. હનુુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો

ઘીની જ્યોત પ્રગટાવો: સૌથી પહેલા તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંદિરમાં ઘીની જ્યોત પ્રગટાવો. ઘીની જ્યોત પ્રગટાવ્યા પછી, રામ ભક્ત હનુમાનજીનું આહ્વાન કરો અને વધુને વધુ ધ્યાન કરો.

હનુમાન ચાલીસાનો પાઠ કરો: મહાબલી હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજે એકથી વધુ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આ પણ વાંચોઃ 36th National Games logo: 36મી નેશનલ ગેમ્સનો લોગો જાહેર, આજે એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાયો

હનુમાનજીને પ્રસાદ ચઢાવો: આજે હનુમાનજીને ભોગ અર્પણ અવશ્ય કરો. તમે ઇચ્છો તે કંઈપણમાં વસ્થતુઈ શકો છો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.

રામ નામનો જાપ કરો: હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે ભગવાન શ્રી રામના નામનો જાપ કરવો. એવી માન્યતા છે કે જ્યાં રામ નામનું સંકીર્તન થાય છે ત્યાં હનુમાનજીનો વાસ હોય છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા રામ નામનું સંકીર્તન કરો. તેનાથી ચોક્કસ હનુમાનજી પ્રસન્ન થશે.

વિશેષ નોંધ: અમે અહીં એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ Akasa airlines news: દેશને જલ્દીજ મળશે અકાસા એરલાઇનની સુવિધા,આ તારીખથી શરુ થશે પહેલી પ્લાઇટ

Gujarati banner 01