FactCheck: તમને પણ કોઇએ કહ્યું છે કે- નાકમાં લીંબુનો રસ નાંખવાથી કોરોના ભાગી જાય છે, તો જરુર વાંચો આ હકીકત
જાણવા જેવુ, 05 મેઃ હાલ કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. તેવામાં લોકો વિવિધ પ્રકારના નુસ્ખા અપનાવી રહ્યા છે. ઘણા લોકો ઓક્સિજનની ઉણપ પર અજમા કપૂરની પોટલી સુંગવાનું કહે તો ઘણા નાકમાં લીબુંનો રસ પાડવાનું કહે છે. માનવામાં આવે છે કે લીંબુના રસના ટીપાં નાકમાં નાખવાથી કોરોના જતો રહે છે. પરંતુ આ હકીકત નથી આ ફેક(FactCheck) છે.
તાજેતરમાં જ PIBએ પોતાના ઓફિશયલ એકાઉન્ટ પર નાકમાં લીબુ રસ નાંખવાથી કોરોના જતો રહે છે. તેવા વાયરલ થયેલા વીડિયો(FactCheck)નો ફેક ગણાવ્યો છે. આ બાબતે વૈજ્ઞાનિકો પણ સહેમત નથી. કે લીંબુના રસથી કોરોના જતો રહેશે. તેથી ભૂલથી પણ આવુ તમે ન કરતા અને કોઇને સલાહ પણ ન આપતા…!
આ પણ વાંચો….