PM Narendra MOdi

Good news for Government employees: નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધશે! જાણો સરકારની યોજના

Good news for Government employees: પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિ વય વધારવાની સાથે, યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.

નવી દિલ્હી, 20 મે: Good news for Government employees: સરકારી કર્મચારીઓ માટે જલ્દી સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કામ કરવા માટે લોકોની વય મર્યાદા વધારવી જોઈએ. આ સાથે, પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિ વય વધારવાની સાથે, યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. આ માટે કમિટીએ પોતાનો પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.

વરિષ્ઠ નાગરિક સુરક્ષા
રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું 2000 રૂપિયાનું પેન્શન મળવું જોઈએ. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.

કૌશલ્ય વિકાસ પણ મહત્વપૂર્ણ છે
આ અહેવાલ મુજબ, જો કાર્યકારી વયની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની સખત જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કૌશલ્ય વિકાસ વિશે પણ વાત કરવામાં આવી છે.

સરકારોએ નીતિ બનાવવી જોઈએ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ કે જેથી સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રમાં રહેતા લોકો, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ પણ સામેલ હોવા જોઈએ કે જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી, પરંતુ તેમને તાલીમ આપવી જોઈએ.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 રિપોર્ટ
નોંધનીય છે કે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 અનુસાર, વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્તની શ્રેણીમાં જશે. વર્ષ 2019 માં, ભારતની લગભગ 10 ટકા વસ્તી અથવા 140 મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.

આ પણ વાંચો...Amdavad metro train trail: અમદાવાદમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી

Gujarati banner 01