RT-PCR Test: રાજ્ય બહાર અથવા તો વિદેશથી શહેરમાં પરત ફરતા લોકો માટે ખાસ, બન્ને ડોઝ લીધા હશે તો પણ RT-PCRનો ટેસ્ટ કરાવો પડશે
RT-PCR Test: વેકસીનના બંને ડોઝ લીધા હોય તેમ છતાં તેવા મુસાફરોએ પણ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે
સુરત, 27 ઓક્ટોબરઃRT-PCR Test: દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાના સંક્રમણને અટકાવવા સજ્જ બન્યું છે. રાજ્ય બહાર અથવા તો વિદેશથી સુરત પરત ફરતા લોકોને એન્ટ્રી પોઇન્ટ પર RT-PCR રિપોર્ટ બતાવવા ફરમાન કરવામાં આવ્યું છે
આ માટે શહેરના ચારથી વધુ પોઇન્ટ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અનેં એરપોર્ટ પર આવતા મુસાફરોએ RT-PCR રિપોર્ટ બતાવવા અંગે અપીલ કરવામાં આવી છે
આ પણ વાંચોઃ Gujarat police aandolan: પોલીસકર્મીઓનું ગ્રેડ-પે આંદોલન હાલ પુરતું મોકૂફ, વાંચો શું છે મામલો?
વેકસીનના બંને ડોઝ લીધા હોય તેમ છતાં તેવા મુસાફરોએ પણ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે. દિવાળીના દિવસો નજીક છે. ત્યારે લોકો બહારગામ કે દેશ- વિદેશમાં હરવા ફરવા માટે જતા હોય છે. આવા સંજોગોમાં સુરત પરત ફરતાં મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.
જે શક્યતાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ RT-PCR રિપોર્ટ ફરજીયાત કર્યા છે. સુરત એરપોર્ટ પર હાલ દરરોજ બે હજારથી વધુ મુસાફરો આવી રહ્યા છે. જે લોકોનું પણ ક્યુ આર કોડ ના આધારે તપાસ કરવામાં આવી રહી છે