સરકાર PFને લઇ કરશે આ ફેરફાર, જેનાથી 40 કરોડ કર્મચારીઓને મળશે સીધો જ લાભ- વાંચો સંપૂર્ણ અહેવાલ

epfo logojpg

નવી દિલ્હી, 28 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે દેશભરમાં કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે અર્થતંત્રમાં થોડો સુધારો થયો છે. હવે દેશભરમાં 40 કરોડ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરવા વાળા કર્મચારીઓ માટે કર્મચારી ભાવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના દરવાજા ખુલી શકે છે. જો કે એના માટે EPFOએ પોતાના કામ કરવાની રીતમાં મોટા ફેરફાર થયા છે. નવા વર્ષમાં સંગઠનને સરકારની મહત્વકાંક્ષી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(ABRY)ને લાગુ કરવા પર ધ્યાન આપતા સેવાઓમાં સુધાર લાવવા માટે ભગીરથ પ્રયાસ કરવા પડશે.

સામાજિક સુરક્ષા સંહિતાના આવતા વર્ષે 1 એપ્રિલથી લાગુ થવાની ઉમીદ છે. એવામાં EPFOએ પોતાની યોજનાઓ અને સેવાઓના નવા માહોલના અનુરૂપ બદલાવું પડશે કારણે કે આ અસંગઠિત ક્ષેત્રે કામગારની સામાજિક સુરક્ષાના દાયરામાં આવી જશે. દેશમાં 40 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના કર્મચારી છે જે કોઈ પ્રતિસ્થાન અથવા કંપનીના વેતન રજિસ્ટરમાં આવતા નથી. અને ભવિષ્ય નિધિ અને ગ્રેજ્યુઈટી જેવા લાભ પ્રાપ્ત નથી. સરકાર આ તમામને સામાજિક સુરક્ષા આપવા માટે EPFO હેઠળ લાવવાની યોજના છે.

Whatsapp Join Banner Guj

ભારતીય મજુર સંઘના પૂર્વ મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયએ કહ્યું કે સામાજિક સુરક્ષા સંહિતા અમલમાં આવ્યા પર EPFO સમક્ષ 2021માં નવા પડકારો સામે આવશે. તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પોતાની યોજના અને નેટવર્કનો વિસ્તાર વધારવો પડશે. આ કર્મચારીઓને સંહિતા હેઠળ સામાજિક સુરક્ષા લાભ ઉપલબ્ધ થશે. એમનું કહેવું છે કે અસંગઠિત ક્ષેત્રના કમર્ચારીઓ સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે EPFOને પોતાની યોજનાઓ અને સેવાઓને નવું રૂપ આપવું પડશે.

આ અગાઉ સવાલ ઉઠાવવાના આવ્યા હતા કે અસંગઠિત ક્ષેત્રના મામલે ભવિષ્ય નિધિ જેવી સામાજિક સુરક્ષા યોજનામાં નિયોક્તાનો ભાગ યોગદાન કોણ કરશે. હવે એ કહેવામાં આવ્યું છે કે આ ભાગ સરકાર તરફથી આપવામાં આવશે અથવા અસંગઠિત ક્ષેત્રે કામગાર એવી યોજનામાં સામેલ થઇ શકે છે જેમાં માત્ર એમના તરફથી યોગદાન આપવામાં આવશે.

શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું, 2021માં ઈપીએફઓનું મુખ્ય ધ્યાન આત્મનિર્ભર ભારત રોજગાર યોજના(ABRI) પર હશે જે હેઠળ નવી નિયુક્તિને પ્રોત્સાહન આપવામાં આવે. ચંદ્રાએ કહ્યું, સેવાઓની ડિલિવરી માટે અન્ય પ્રયાસ પણ જારી છે. પરંતુ મુખ્ય ધ્યાન ABRI હેઠળ રોજગાર સૃજન પર હશે. આ માસની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ABRIને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ ઔપચારિક ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું છે.

GEL ADVT Banner

યોજના હેઠળ 2020થી 2023 વચ્ચે 22,810 કરોડ રૂપિયા જારી કરવામાં આવશે. ABRI યોજના હેઠળ 1 ઓક્ટોબર 2020થી લઇ 3 જૂન 2021ના સમયગાળામાં કામ પર આવનારા નવા કર્મચારીઓ માટે સરકાર ભવિષ્ય નિધિમાં એમના કર્મચારી અને નિયોક્તા બંને તરફથી આપવામાં આવતા 12% યોગદાનની ચુકવણી કરશે. 24%ની આ કુલ રાશિ કર્મચારી ભવિષ્ય નિધિ કોષમાં બે વર્ષ સુધી સરકાર જમા કરાવશે. આ યોજના એ પ્રતિસ્થાનોમાં લાગુ થશે જેમાં એક હજાર લોકો કામ કરે છે. એવા સંસ્થાન જ્યાં 1000થી વધુ કર્મચારી છે. એમના કીસ્સમાંમાં સરકાર માત્ર કર્મચારીનો જ 12% ભાગ કર્મચારી ભવિષ્ય નિધિમાં જમા કરાવશે. આ યોજનાને અમલમાં લાવવા માટે EPFO એક સોફ્ટવેર વિકસિત કરશે જેથી મળવા વાળા લાભમાં કોઈ ગડબડી નથી હોય.

શ્રમ મંત્રી સંતોષ ગવારે આ માસની શરૂઆતમાં કહ્યું હતું કે ઈપીએફઓ હેઠળ 52 લાખ કર્મચારીઓએ કોવિડ-19 રાહત યોજના હેઠળ 13,300 કરોડ રૂપિયાની રાશિ જાહેર કરવામાં આવી. ભવિષ્ય નિધિથી આપવામાં આવેલ આ રાશિ પરત નહિ કરવી પડે. કોરોના વાયરસ મહામારી ફેલાવા અને લોકડાઉન દરમિયાન કારખાના અને ફેકટરીઓ બંધ થવાના કારણે લોકોને જીવિકા ચલાવવાં માટે EPFOથી ધનરાશિ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી. EPFOએ વર્ષ 2019-20 માટે ભવિષ્ય નિધિ કોષ પર 8.5% વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો…

અમિતાભ બચ્ચને પહેર્યુ અનોખુ માસ્ક, ચારેય બાજુ થઇ રહી છે તેની ચર્ચાઃ જુઓ વીડિયો