Vaishnodevi train Passenger Alert: અમદાવાદ થી વૈષ્ણોદેવી જતાં યાત્રિયો માટે ખાસ સૂચના
Vaishnodevi train Passenger Alert: અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે
અમદાવાદ, 16 ફેબ્રુઆરી: Vaishnodevi train Passenger Alert: ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે.
- 18, 25 ફેબ્રુઆરી અને 03,10,17 માર્ચ 2024ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયાં-પઠાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.
- 20, 27 ફેબ્રુઆરી અને 05, 12, 19 માર્ચ 2024 ના શ્રી માતા વૈષ્ણો દેવી કટડાથી ચાલતી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ-મુકેરિયાં-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો. www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.