Garbage dumping station in Ambaji is a headache: અંબાજી માં કચરો અને કચરા નું ડમ્પિંગ સ્ટેશન માથા ના દુખાવા સમાન
Garbage dumping station in Ambaji is a headache: યાત્રિક અસ્વસ્થ્ય હોય ને શ્વાસ ની બીમારી થી પીડિત હશે તો તેવા યાત્રિક ને આ પ્રકાર નો ધુમાડો ખતરા રૂપ બની શકેછે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 નવેમ્બર: Garbage dumping station in Ambaji is a headache: યાત્રાધામ અંબાજી માં કચરો અને કચરા નું ડમ્પિંગ સ્ટેશન માથા ના દુખાવા સમાન, કોઈ યાત્રિક અસ્વસ્થ્ય હોય ને શ્વાસ ની બીમારી થી પીડિત હશે તો તેવા યાત્રિક ને આ પ્રકાર નો ધુમાડો ખતરા રૂપ બની શકેછે
યાત્રાધામ અંબાજી માં કચરો અને કચરા નું ડમ્પિંગ સ્ટેશન માથા ના દુખાવા સમાન બની ગયું છે કેટલાક વિસ્તાર માં લોકો આ ડમ્પિંગ સ્ટેશન માં કચરામાં લગાડી દેવાતી આગ ને તેમાંથી ઉઠતા ધુમાડા કાળનો કોળિયો બની શકે છે, પહેલા કૈલાશ ટેકરી સામે ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગતા રસ્તાઓ ધુમાડાગ્રસ્ત બનતા હતા ને આસપાસના રહીશો ધુમાડાના ગુંગળામણ થતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી તે ડમ્પીંગ સ્ટેશન ને તાજેતર માં અંબાજી ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમન ને લઈ તાત્કાલિક અસરથી એ ડમ્પિંગ સ્ટેશન દૂર કરી હાલ એડવેન્ચર પાર્ક પાસે નવું ડમ્પિંગ સ્ટેશન શરુ કરી દેવામાં આવ્યું છે.
હવે તે પણ આસપાસ ના રહીશો માટે જીવ નું જોખમ ઉભું કરી રહ્યું છે છેલ્લા (Garbage dumping station in Ambaji is a headache) ત્રણ દિવસથી આ ડમ્પિંગ સ્ટેશનમાં સાંજ પછી કોઈક તત્વો દ્વારા આગ લગાડી દેવાતા સમગ્ર અંબાજી નગરના કચરા માં પ્લાસ્ટિક સહીત ની અનેક કચરામાં લાગેલી આગ ના કારણે નીકળતા ધુમાડા થી કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઈડ જેવા રસાયણો ઉક્ત એક કિલોમીટર જેટલા વિસ્તાર માં ફેલાતા લોકો રાત્રી દરમિયાન ગુંગળામણ નો અનુભવ કરી રહ્યા હે ને તાજેતર માંજ આ ધુમાડા ના ઘૂંઘલામણ થી જૂના નાકા વિસ્તાર માં રહેતા રહીશો ને દવાખાને સારવાર અર્થે જવાની પણ ફરજ પડી હતી
એક તરફ મોરબી માં સર્જાયેલી ઘટના ને લઈ સમગ્ર ગુજરાત રાજ્ય ભારે ચિંતિત છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ માં હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને રાત્રી રોકાણ પણ કરતા હોય છે ત્યારે ખાસ કરી રાત્રી દરમિયાન કેટલાક વિસ્તારો માં ધુમાડા ના કારણે ધુમ્મશ ભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે ને તેવા માં કોઈ યાત્રિક અસ્વસ્થ્ય હોય ને શ્વાસ ની બીમારી થી પીડિત હશે તો તેવા યાત્રિક ને આ પ્રકાર નો ધુમાડો ખતરા રૂપ બની શકેછે જેને લઈ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સ્ટેશનમાં લગાડતી આગ બંધ કરાવે તે અતિ આવષ્યક બાબત બની છે
આ ડમ્પિંગ સ્ટેશનમાં અંબાજી ગ્રામપંચાયત (Garbage dumping station in Ambaji is a headache) દ્વારા એકત્રિત કરાતો કચરો તેમજ રાજદીપ દ્વારા એકત્રિત કરાતો કચરો આ એકજ ડમ્પિંગ સ્ટેશન માં ઠાલવે છે ને આ આગ લગાડવાની બાબત બે માંથી કોઈ સ્વીકાર કરતુ નથી તો આ આગ લગાડે છે કોણ,, તે એક પેચીદો પ્રશ્ન બન્યો છે જો આ બાબત નો નિકાલ નહીં આવે અને જો કોઈ ઘટના બની તો વહીવટીતંત્ર માટે કાળીટીકી સમાન ઘટના સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો…PM Modi Gujarat Program: PM Modi ફરી આવશે ગુજરાત, જાણો શું હશે કાર્યક્રમ?