સાસણગીરની મુલાકાત આમિર ખાનને પડી ભારે, હાઇકોર્ટમાં અરજી દાખલ- વાંચો શું છે મામલો
બોલિવુડ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ તાજેતરમાં જ બોલિવુડ અભિનેતા આમિરખાન પોતાની વેડિંગ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે ગુજરાતનો મહેમાન બન્યો હતો પરંતુ સાસણ ગીરની મુલાકાત તેને ભારે પડી રહી છે. એક્ટર સામે અનેક વિવાદો ઉઠાવવામાં આવ્યા છે.
હકીકતમાં આમિરખાન ની સાસણ ગીરની મુલાકાતને લઇને સામાજિક કાર્યકર સુઓમોટો કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. દાવો કરવામાં આવ્યો છે કે વન વિભાગે આમિર ખાનને વી.આઈ.પી સેવા આપી છે ગેરકાયદેસર રીતે સિંહને રસ્તા પર મુકાયા છે, જેને લઇને વિવાદ સર્જાયો છે.
સામાજિક કાર્યકર્તાઓએ આરોપ મૂક્યો છે કે, કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવ્યા છે. આ માટે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટ માં સામાજિક કાર્યકર ભનું ઓડેદરા દ્વારા અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો…
જાણો, લગ્ન માટે 2021ની શુભ તારીખો અને તિથિઓ…