રાહતના સમાચારઃ કોરોના કપરા કાળમાં રાજ્ય સરકારે ખેડૂતો(farmers)ને પાક ધિરાણની ચૂકવવામાં મુદત લંબાવી
- ખેડૂતો માટે પાક ધિરાણભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી
- ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકાર ના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે
- રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે
ગાંધીનગર, 03 મેઃ ગુજરાત સરકારે આ મહામારીના સમયે ખેડૂતો(farmers)ને રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ખેડૂતોને પાકધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાની જાહેરાત કરી છે.
આ સાથે ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે તેવો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે. ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.
આ પણ વાંચો…