Gujarat Corona Update: રાજ્યમાં નવા 234 કેસ, 353 દર્દી સાજા થયા, જ્યારે 9 જિલ્લામાં એક પણ કેસ નહી- અમદાવાદમાં 1નું મોત

Gujarat Corona Update

Gujarat Corona Update: વેન્ટિલેટર પર 24 છે. જ્યારે 2,016 લોકો સ્ટેબલ છે. 2,57,473 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

ગાંધીનગર, 10 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે.

આજે રાજ્યમાં નવા 234 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 353 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,57,473 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 974 કેન્દ્રો પર 56,332 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 6,60,516 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.56 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

રાજ્યમાં આજે અમરેલી, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ એમ કુલ 9 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,040 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 24 છે. જ્યારે 2,016 લોકો સ્ટેબલ છે. 2,57,473 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4379 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ કોર્પોરેશન જિલ્લાનાં 1 દર્દીનું મોત થયું છે.

આ પણ વાંચો…

જાણવા જેવુઃ ‘Tree of 40 Fruit’નામનું અનોખુ વૃક્ષ જેની પર લાગે છે 40 પ્રકારના ફળો