NDRF team: દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ
NDRF team: ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે.
અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૬ જુલાઈ: NDRF team: ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૦૭ થી ૦૯ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ૪૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. જેના પગલે સુરતના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ની તાકીદ કરવામાં આવી છે.
માછીમારી માટે જતી કોઇપણ બોટ/હોડીઓને સંબંધિત વિભાગ ટોકન ઇસ્યુ ન કરે તેવો પણ અનુરોધ કરાયો છે. હાલ દરિયામાં માછીમારી અર્થે ગયેલા તમામ માછીમારો તેમની બોટો સાથે તાત્કાલિક પરત આવે તેમ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો…IPL: BCCI આઈપીએલની 2 નવી ટીમો ઉમેરવાની તૈયારીમાં, આ મહિનામાં થશે મેગા ઓક્શન
ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત
NDRF team: ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે. આ ટીમ સુરતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચના સહયોગમાં NDRF ઇન્સ્પેક્ટર દિપક બાબુના માર્ગદર્શનમાં રહી પૂર-ભૂકંપ, ચક્રવાત, આગ અને કોરોના જેવી વિવિધ આપત્તિમાં જાગૃતિ અને મદદ કરશે. કોઈ પણ આપત્તિની સ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરી લોકોના જાનમાલના રક્ષણ માટે તૈનાત રહેશે.