Preparations for Bhadarvi poonam mela:માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી
Preparations for Bhadarvi poonam mela: ભાદરવીપુનમનો મહામેળો શરુ થનાર છે તેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ
- મુખ્ય હાઇવે માર્ગ પર ના આજે અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 29 ઓગષ્ટઃ Preparations for Bhadarvi poonam mela: શક્તિપીઠ અંબાજીમાં આગામી 5 સપ્ટેમ્બરથી ભાદરવીપુનમનો મહામેળો શરુ થનાર છે તેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.
આ વખતે મેળો બે વર્ષ બાદ ભરાનાર હોઈ મોટી સંખ્યામાં યાત્રિકો આવી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે મેળાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજી હાઇવે માર્ગ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ National Sports Day Celebration: વડોદરા ડિવિઝન દ્વારા “નેશનલ સ્પોર્ટ્સ ડે” પર પરંપરાગત રમતોનો રંગારંગ આયોજન
અંબાજીમાં યાત્રિકો ને પૂરતી જગ્યા મળી રહે ને સુચારુ રૂપ થી દર્શને જઈ શકે ને પાર્કીંગ મળી રહે તે માટે મંદિ ને જોડતા મુખ્ય હાઇવે માર્ગ પર ના આજે અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેસીબી ટ્રેકટરો સહીત પોલીસનો બંદોબસ્ત પણ આ દબાણ કામગીરી માં જોડાયા હતા જોકે આજે શરુ કરાયેલી દબાણ કામગીરી મેળા સુધી રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે ને ખાસ કરીને આજે દૂર કરાયેલા દબાણો ફરી ન થાય તેની તકેદારી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવશે.