Bharat bandh on 25 may: કાલે ભારત બંધનું એલાન, જાણો શું છે કારણ ?
Bharat bandh on 25 may: જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગને લઈને બુધવારે યોજાનાર આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે
નવી દિલ્હી, 24 મેઃ Bharat bandh on 25 may: પછાત અને લઘુમતી કોમ્યુનિટી એમ્પ્લોઇઝ ફેડરેશન એટલે કે BAMCEF એ 25 મેના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગને લઈને બુધવારે યોજાનાર આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. આ અંગે બિહાર સહિત ઘણા રાજ્યોમાંથી પહેલાથી જ માંગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે તેના પર કોઈ નિર્ણય લીધો નથી.
આ આંદોલન ઓબીસી જ્ઞાતિઓની ગણતરી નહીં કરવાના વિરોધમાં કરવામાં આવ્યું છે. જો કે તેની કેટલી અસર થશે તે અંગે શંકા છે. તેનું કારણ એ છે કે BAMCEFનો દેશભરમાં મોટો આધાર નથી. આ સિવાય હજુ સુધી કોઈપણ મોટા રાજકીય પક્ષે સમર્થન જાહેર કર્યું નથી.
BAMCEFના પ્રમુખ વામન મેશ્રામે કહ્યું, “અમારા ભારત બંધ આંદોલનને રાષ્ટ્રીય પરિવર્તન મોરચા, ભારત મુક્તિ મોરચા, બહુજન મુક્તિ મોરચા અને અન્ય ઘણા સંગઠનોએ સમર્થન આપ્યું છે.” તેમણે કહ્યું કે કેટલાક લોકો અમારા બંધને લઈને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખાસ કરીને ઓબીસી સમુદાયના લોકોને છેતરવામાં આવી રહ્યા છે જેથી તેઓ આંદોલનમાં જોડાઈ ન શકે.