Ghazipur Bus Accident : ગાઝીપુરમાં બસ પર હાઈટેન્શન તાર પડતા આગ લાગી, અનેક મુસાફરો જીવતા બળ્યા
Ghazipur Bus Accident : આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી
નવી દિલ્હી, 11 માર્ચઃ Ghazipur Bus Accident : ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
जनपद गाजीपुर में एक दुर्घटना में हुई जनहानि अत्यंत दु:खद एवं हृदय विदारक है। मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 11, 2024
मृतकों के परिजनों को ₹5-5 लाख एवं गंभीर रूप से घायलों को ₹50-50 हजार की आर्थिक सहायता एवं उनके निःशुल्क उपचार के निर्देश दिए हैं।
ईश्वर से प्रार्थना है…
આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. હાઈ ટેન્શન વાયર લટકતો અને બસને આગને લપેટમાં જોઈ લોકોએ બચાવ અભિયાન ચલાવવાની પણ હિંમત નહોતી કરી. લોકો દૂરથી જ ઊભા ઊભા જોતા રહ્યા હતા. આ મામલે વીજળી વિભાગને જાણ કરાયબા બાદ પવાર સપ્લાય બંધ કરાયો અને પછી લોકોએ બસની નજીક જઈને બચાવ કામગીરી કરી હતી.