તબલીગી જમાત(tablighi jamaat)ના 51 મહેમાનોનો સ્વીકાર્યુ કોરોના પ્રસારનો અપરાધ, કોર્ટે ફટકારી સજા
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરીઃ લોકોનું માનવું છે કે ભારતમાં કોરોનાના કેસ વધવા પાછળ તબલીગી જમાત(tablighi jamaat) છે. તાજેતરમાં જ થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્તર પ્રદેશ પહોંચલા તબલીગી જમાતના વિદેશી મહેમાનોએ કોરોના ફેલાવવાના અપારધનો સ્વીકાર કર્યો છે. લખનઉની સાજેએમ કોર્ટે 51 આરોપીઓને જેલમાં વિતાવેલ અવધિ અને 1500 રુપિયાનો દંડ કર્યો છે.
આ તમામ લોકો પર કોવિડ-19 મહામારી અને લોકડાઉન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. જેની સાથે જ ટૂરિસ્ટ વીઝા પર મસ્જિદોમાં ફરી ફરીને તબલીગી જમાતમાં સામેલ થવાનો આરોપ પણ છે. આરોપીઓ સામે બહરાઇચ, સીતીપુર, ભદોહી અને લખનઉમાં કેસ નોંધવામાં આવ્યા હતા.
આ તરફ દિલ્હીની એક અદાલતે તબલીગી જમાતના સભ્યોના પાસપોર્ટ પરત આપવાનો આદેશ પ્યો છે. કોર્ટે આ તમામને નિજામુદ્દિન મરકજ મામલે છોડી મુક્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં નિજામુદ્દિન મરકજ સાથે જોડાયેલ 35 વિદેશી જમાતિઓને સાકેત કોર્ટે છોડી મુક્યા છે. આ તમામ આરોપો પર કોરોના મહામારી એક્ટના ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે જ્યારે જમાતીઓને કોર્ટે છોડી મુક્યા હોય. આ પહેલા પણ સેંકડો જમાતિઓને કોર્ટે છોડી મુક્યા છે. આ જમાતિઓ છુટ્યા બાદ પોતાના દેશ પરત ફર્યા છે. માર્ચના મહિનામાં જમાતિઓ પર ચાર્ટેડ પ્લેનથી ભારત છોડવાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચો…