Holika Dahan Puja: હોલિકા દહનની પૂજામાં ન કરવી આ ભૂલ, જાણો પૂજાની પદ્ધતિ અને ઉપાય
Holika Dahan Puja: માન્યતા છે કે હોલિકા દહનની પૂજા કરવાથી આવનારા કષ્ટ દૂર થઇ જશે
ધર્મ ડેસ્ક, 18 માર્ચ: Holika Dahan Puja: હિન્દુ ધર્મ અનુસાર ફાગણ માસની પૂર્ણિમા તિથિના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 24 માર્ચે છે. આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરવાની પરંપરા છે. માન્યતા છે કે હોલિકા દહનની પૂજા કરવાથી આવનારા કષ્ટ દૂર થઇ જશે. હોલિકા દહનની પૂજા કરતી સમયે કોઈ પણ ભૂલ ન કરવી જોઈએ. આ ભૂલ તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં નાખી શકે છે. એ કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. એવામાં પૂજા માટે યોગ્ય સામગ્રીની જાણ હોવી ખુબ જરૂરી છે.
આ પણ વાંચોઃ Numbness in Legs: જો તમને પણ વારંવાર હાથે-પગે ખાલી ચઢી જતી હોય તો ટ્રાય કરો આ ઉપાય
હોલિકા દહનની પૂજા
હોલિકા દહનના દિવસે ગાયના છાણા અને લાકડામાંથી હોલિકા બનાવવામાં આવે છે. આ દિવસે પૂજા સામગ્રીમાં રોલી, કાચું સૂતર, અક્ષત, ફૂલ, આખા મગ, પતાશા, નારિયેળ, ઉંબડી, નાના ઉપલાની માળા, ઘઉંની બુટ્ટી અને પાણી ભરેલું વાસણ રાખવું. આ બધી વસ્તુઓ સાથે પૂજા કરો. હોલિકા દહન પછી પરિક્રમા કરવાનું ભૂલશો નહીં.
હોલિકા દહન ઉપાય
- હોળીની સવારે બેલપત્ર પર સફેદ ચંદનની એક બિંદી લગાવો અને પોતાની ઈચ્છા બોલતા શિવલિંગ પર ચઢાવો. ત્યારબાદ કોઈપણ સોમવારે મહાદેવને પંચમેવા ખીર ચઢાવો.
- હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલની રોશની કરવી જોઈએ. તેની સાથે ઘરના મુખ્ય દરવાજા પર બે મુખવાળો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાયથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
- હોલિકા દહનની ભસ્મ ઘરમાં લાવો. તેમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને તેને ઘરે અને તમારા કામકાજના સ્થળે છાંટો. આ ઉપાય કરવાથી નકારાત્મકતા દૂર થશે. જો ધંધો ચાલતો નથી તો આ ટ્રીક તમારા બિઝનેસને નવી ચમક આપશે.
- ભગવાન નરસિંહ હોળીના દિવસે પ્રગટ થયા હતા. આવી સ્થિતિમાં આ દિવસે નરસિંહ સ્તોત્રનો પાઠ કરો. તે જ સમયે, હોલિકા દહનની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો. આ ઉપાયથી તમને તમામ દેવામાંથી મુક્તિ મળશે.