Mahashivratri: શીવ: જીવ ની નીંવ !
Mahashivratri: શિવરાત્રીના આ શુભ અવસર પર, ચાલો આપણે બધા સાથે મળીને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તે આપણા પર જ્ઞાનના કેટલાક વાદળ વરસાવે અને આપણા જીવનને આશીર્વાદ આપે.
Mahashivratri: શુક્રવારે એટલે કે આઠમી માર્ચે મહાશિવરાત્રી છે, મહાશિવરાત્રીના શુભ અવસર પર તમામ શિવભક્તોને આગોતરી શુભેચ્છાઓ. આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજે ભગવાન શિવ વિશે કેટલીક એવી વાતો જણાવીશ કે, જે કોઈને કોઈ રીતે આપણા જીવન સાથે જોડાયેલી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શિવને આદિયોગી પણ કહેવામાં આવ્યા છે. તે એટલા માટે કે, સંસારમાં જોડાયા પછી પણ તે સાધુ છે. હા, ભગવાન શિવ, પાર્વતીના પતિ હોવા છતાં અને સંસારી હોવા છતાં, આસક્તિ અને મોહથી મુક્ત છે. અને આ કારણે ભગવાન શિવમાં એટલી બધી નિયંત્રણ શક્તિ છે કે સમુદ્રમંથન વખતે તેમણે પોતે જ બધું ઝેર પી લીધું અને તેમ છતાં ય ઝેરનું એક પણ ટીપું ગળામાં જવા દીધું નહીં. ભગવાન શિવના આ ગુણો તેમને વિશ્વના સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ યોગી બનાવે છે.
ભગવાન શિવના(Mahashivratri) મનને ખલેલ પહોંચાડવી અશક્ય છે. તો અહીંથી આપણે પહેલો પાઠ એ શીખીએ છીએ કે આપણે આપણા ખરાબ કાર્યોને આપણા મન પર કેવી રીતે આધિપત્ય ન થવા દેવા જોઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયાના આ યુગમાં આપણે અને આપણી નવી પેઢીએ કેટલાક નકામા માધ્યમોથી દૂર રહીને સાવધાન રહેવું જ શ્રેષ્ઠ છે. આજકાલ દરેક વ્યક્તિ યોગ, ધ્યાન અને જ્ઞાન વિશે વાત કરવા લાગ્યા છે. પરંતુ સાચા યોગીના ગુણો શું છે ? ભગવાન શિવ આપણને આ બાબતે શીખવે છે.
બીજો પાઠ આપણે એ શીખીએ છીએ કે જે રીતે ભગવાન શિવે ઝેરની માત્રા ગળી હતી, તેવી જ રીતે આપણે પણ આપણા ક્રોધને ગળી જવું જોઈએ. પરંતુ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે આપણા ક્રોધને આપણા ગળામાં જ રાખવો જોઈએ, તેને બહાર ન આવવા દેવો અને તેને નીચે જવા દેવો જોઈએ નહીં. કારણ કે આપણામાંનો એ ઝેર જેવો ક્રોધ બહાર આવે તો બીજાને દુઃખ પહોંચાડે છે અને આપણી અંદર આવે તો આપણને મુશ્કેલીમાં મૂકે છે. આ બંને સંજોગોમાં નુકસાન આપણું અને માત્ર આપણું જ થશે. તેથી, આપણે આપણું જીવન શાંતિથી, નિયંત્રણ અને ધીરજથી જીવવું જોઈએ. આ સ્ક્રિપ્ટ શ્રી પાર્થેશ નાણાવટી દ્વારા તેમના પોતાના શબ્દો સાથે રૂપાંતરિત કરવામાં આવી છે.
જો ભગવાન શિવ વિશે વધુ કહીએ તો, આપણે બધા તેમના અર્ધનારીશ્વર સ્વરૂપથી પરિચિત છીએ અને પ્રભાવિત છીએ. આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ પણ ખરો, તેથી અર્ધનારીશ્વર સ્વરૂપ આપણને પ્રેરણા આપે છે કે શિવ અને શક્તિ બંને સમાન છે. આ શિવશક્તિનું અભિન્ન સ્વરૂપ છે જે દર્શાવે છે કે દુનિયામાં ન તો કોઈ પુરુષ મોટો છે અને ન તો કોઈ સ્ત્રી નાની છે. તે માત્ર એટલું જ છે કે કેટલાક લોકો સ્ત્રીઓ વિશે નાના વિચારો ધરાવે છે. શિવજીએ હંમેશા પાર્વતીજી, તેમની લાગણીઓ અને તેમના વિચારોનું સન્માન કર્યું છે.
આ પણ વાંચો:- Mahashivratri 2024: 300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્લભ સંયોગ, ભૂલ્યા વગર કરજો આ ઉપાય- જાણો પૂજાનો શુભ સમય
ભગવાન શિવના આ ગુણો તેમને ચરિત્ર નાયક અને આદર્શ સાંસારીક અને તપસ્વી બનાવે છે. (Mahashivratri) શિવરાત્રીના આ શુભ અવસર પર, ચાલો આપણે બધા સાથે મળીને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તે આપણા પર જ્ઞાનના કેટલાક વાદળ વરસાવે અને આપણા જીવનને આશીર્વાદ આપે. તે રામ અને રાવણમાં છે – તે રાધા અને રમણમાં છે, તે જન્મ અને મૃત્યુમાં છે – દરેક ક્ષણ દરેક ક્ષણમાં છે, જીવન પછી જીવન છે – એ જીવ શિવના શરણમાં છે !
દુર્વાસા મુનિએ ઈન્દ્રને આપ્યો હતો શાપ, અંતે દુર્વાષા મુનિએ સમજાવ્યું કે પદનું ક્યારે પણ અભિમાન ન કરવું, ભગવાન વિષ્ણુની જેમ શિવે પણ સમય-સમયે અલગ-અલગ અવતાર લીધા છે. શિવ પુરાણ અનુસાર દુર્વાસા મુનિ પણ શિવના અવતાર હતા. દુર્વાસા મુનિ હંમેશા ગુસ્સામાં રહેતા હતા. દુર્વાસા મુનિએ ઈન્દ્રને શ્રાપ આપ્યો, કારણ કે ઈન્દ્રને તેમના પદ પર ગર્વ થઈ ગયો હતો. દુર્વાસા મુનિ અને ઇન્દ્ર સાથે જોડાયેલી કથા મુજબ દુર્વાસા મુનિએ એક દિવ્ય માળા પહેરી હતી. એક દિવસ તેમને મનમાં વિચાર આવ્યો કે, આ માળા મારા માટે કોઈ કામની નથી. તે સમયે તેમણે દેવરાજ ઈન્દ્રને જોયા હતા. દુર્વાસા ઋષિએ તે માળા ઈન્દ્રને આપી હતી. ઈન્દ્ર પોતાના હાથી ઐરાવત પર બેઠા હતા. ઈન્દ્ર દેવોના રાજા હતા અને ઐરાવત પર બેઠા હોય તેમને પોતાના પદ પર ગર્વ થવા લાગ્યો હતો. અભિમાનને કારણે તેમણે પોતાના હાથીને તે માળા પહેરાવી દીધી.
ઐરાવતે તેની સૂંઢથી માળા પકડીને જમીન પર ફેંકી દીધી. દુર્વાસા ઋષિએ જ્યારે આ બધું જોયુ તો તેમનો ગુસ્સો ઘણો વધી ગયો. પોતાની ભેટસોગાદની આ સ્થિતિ અને ઈન્દ્રના અભિમાનને જોઈને શ્રાપ આપ્યો હતો. દુર્વાસા ઋષિ શાપ આપીને ચાલ્યા ગયા પરંતુ આ શ્રાપ સાંભળીને દેવરાજ ઈન્દ્ર અને અન્ય દેવતાઓને ગભરામણ થવા લાગી હતી. બધા દેવતાઓ તરત જ ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા.તો બીજી તરફ વિષ્ણુજીએ ઈન્દ્રને કહ્યું કે આ બધું તમારા અભિમાનને કારણે થયું છે. તમારે બડાઈ મારવી ન જોઈએ. દુર્વાસા ઋષિનો શ્રાપ ચોક્કસ સાચો જ હશે.
હવે સ્વર્ગનું સૌંદર્ય પાછું મેળવવા માટે તમામ દેવતાઓએ અસુરોમાં જોડાવું જોઈએ અને સમુદ્રનું મંથન કરવું જોઈએ. આ મંથનમાંથી અનેક દિવ્ય વસ્તુઓ નીકળશે, જેમાંથી સ્વર્ગ ફરીથી દિવ્ય બનશે. આ સાથે મંથનમાંથી અમૃત પણ નીકળશે, જેને પીધા બાદ તમામ દેવી-દેવતાઓ અમર થઈ જશે. વિષ્ણુજીની સલાહ માનીને અસુરો સાથે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને તે ઈન્દ્રની સાથે જ તમામ દેવતાઓ અમૃત પીને અમર થઈ ગયા.
દુર્વાસા ઋષિએ આ કથાથી સંદેશ આપ્યો છે કે જો લોકો પોતાના પદની બડાઈ મારે છે તો તે વ્યક્તિની દરેક વસ્તુ બરબાદ થઈ શકે છે. ઓમ્ નમઃ શિવાય !