Like Joshimath now Ahmedabad: જોશીમઠની જેમ હવે અમદાવાદના લોકોને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે
Like Joshimath now Ahmedabad: ભૂગર્ભજળના ભારે ઉપાડને કારણે અમદાવાદ વાર્ષિક 12 થી 25 મીમી ગરકાવ થઈ રહ્યું છે.
અમદાવાદ, 15 જાન્યુઆરી: Like Joshimath now Ahmedabad: જોશીમઠની જેમ હવે અમદાવાદના લોકોને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ભૂગર્ભજળના ભારે ઉપાડને કારણે અમદાવાદ વાર્ષિક 12 થી 25 મીમી ગરકાવ થઈ રહ્યું છે.
કુદરતના ચક્રમાં દખલગીરી કરવા બદલ માણસને કુદરતના પ્રકોપનો સામનો કરવો પડે છે. આનું પરિણામ ઉત્તરાખંડના જોશીમઠ છે. આ વિસ્તાર આ દિવસોમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોશીમઠની જેમ હવે અમદાવાદના લોકોને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
સંશોધકોનું કહેવું છે કે દરિયાનું સ્તર વધવાથી અને આબોહવા પરિવર્તનને કારણે ગુજરાતનો લગભગ 110 કિમીનો દરિયાકિનારામાં ધોવાણ થઈ રહ્યું છે. ભૂગર્ભજળના ભારે ઉપાડને કારણે અમદાવાદ વાર્ષિક 12 થી 25 મીમી ગરકાવ થઈ રહ્યું છે.
ગુજરાતનો 1052 કિમીનો કિનારો સ્થિર છે, 110 કિમીનો કિનારો નથી રહ્યો. દરિયાની સપાટીમાં વધારો અને આબોહવા પરિવર્તનને કારણે કાંપ જમા થવાને કારણે ગુજરાત રાજ્યએ 208 હેક્ટર જમીન મેળવી હોવાનો અંદાજ છે જ્યારે રાજ્યે ધોવાણને કારણે 313 હેક્ટર જમીન ગુમાવી છે.
Nepal plane crash: નેપાળ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા; બચાવ કામગીરી ચાલુ
Shahi snan in Ambaji: યાત્રાધામ અંબાજી માં સાધુસંતો મકરસંક્રાંતિ ના રોજ શાહી સ્નાન
42 વર્ષના અવલોકનનું બીજું સંશોધન જણાવે છે કે સૌથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ કચ્છ જિલ્લામાં થયું છે. રાજ્યનો 45.9 ટકા દરિયાકિનારો નાશ પામ્યો છે. અંદાજિત દરિયાઈ સપાટીના વધારાને કારણે ગુજરાતના દરિયાકાંઠાને ચાર જોખમ વર્ગમાં વર્ગીકૃત કર્યું છે, જેમાં 785 કિમી ઊંચા જોખમના સ્તરે છે અને 934 કિમી મધ્યમથી ઓછા જોખમોમાં સમાવેશ થયો છે. જેથી ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો