Amreli Seat: અમરેલીમાં ભાજપના ઉમેદવારને લઇ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
Amreli Seat: ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા
ગાંધીનગર, 31 માર્ચઃ Amreli Seat: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે.
જો કે, અહીં ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. આ વિવાદને લઈને ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર લડી રહ્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મોડી રાતે સુતરિયાને બદલવાની માગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો