Surat Accident: બાજીપૂરા નેશનલ હાઇવે 53 પર જાનની બસ સાથે થયો ગંભીર અકસ્માત, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત
અકસ્માત(Surat Accident) થયેલા સ્થળે કારમી ચીસોએ વાતાવરણ અત્યંત ગંભીર અને ગમગીન માહોલ સર્જાયો
સુરત, 05 ફેબ્રુઆરીઃ વહેલી સવારે માલેગાંવથી સુરત જાન લઇ જતી ખાનગી ટ્રાવેલ બસ ટેન્કરની પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માત(Surat Accident) થયો છે. રાજ્યના વ્યારા નજીક બસની દયનિયસ્થિતિ જોવા મળી. બાજુપુરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતથી બેઠેલા મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા અને તેમની કરુણ ચીસોથી ત્યાંનુ વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, અને 7 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે 3 વ્યક્તિને સુરત અને 4 વ્યક્તિને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં છે.
આ પણ વાંચો…
LIC Policy ધારકોને સરકાર તરફથી ભેટ, IPOમાં બનાવી રહી છે નવો પ્લાન, જાણો શું છે IPO? અને તેનો ફાયદો