Opposition Party: અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, TMC, NCP અને શિવસેનાએ મોદી સરકારનો કર્યો વિરોધ- જાણો કોણે શું કહ્યું?
Opposition Party: કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન AAP નેતાની ધરપકડ સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે
નવી દિલ્હી, 22 માર્ચઃ Opposition Party: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં જ કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાએ સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન AAP નેતાની ધરપકડ સંપૂર્ણપણે ખોટી અને ગેરબંધારણીય છે. રાજનીતિનું સ્તર એટલું નીચું લઇ જવાયું છે કે આ વાત ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ન તો ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને શોભે છે.
डरा हुआ तानाशाह, एक मरा हुआ लोकतंत्र बनाना चाहता है।
— Rahul Gandhi (@RahulGandhi) March 21, 2024
मीडिया समेत सभी संस्थाओं पर कब्ज़ा, पार्टियों को तोड़ना, कंपनियों से हफ्ता वसूली, मुख्य विपक्षी दल का अकाउंट फ्रीज़ करना भी ‘असुरी शक्ति’ के लिए कम था, तो अब चुने हुए मुख्यमंत्रियों की गिरफ्तारी भी आम बात हो गई है।
INDIA इसका…
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ‘અહંકારી’ ભાજપ દરરોજ ચૂંટણી જીતવાના ખોટા દાવા કરી રહ્યો છે અને ચૂંટણી પહેલા ‘ગેરકાયદે પદ્ધતિઓ’ અપનાવીને વિપક્ષને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ‘ડરી ગયેલા સરમુખત્યાર’ મૃત લોકશાહી બનાવવા માંગે છે. I.N.D.I.A. ગઠબંધન આવા ઇરાદાઓને જરૂર નિષ્ફળ બનાવશે.
चुनाव के चलते दिल्ली के मुख्यमंत्री श्री अरविंद केजरीवाल को इस तरह टार्गेट करना एकदम गलत और असंवैधानिक है। राजनीति का स्तर इस तरह से गिराना न प्रधानमंत्री जी को शोभा देता है, न उनकी सरकार को।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 21, 2024
अपने आलोचकों से चुनावी रणभूमि में उतरकर लड़िये, उनका डटकर मुक़ाबला करिए, उनकी नीतियों…
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર કહ્યું કે ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને નિશાન બનાવવું ખોટું છે.
भाजपा की राजनीतिक टीम (ED) .,केजरीवाल की सोच को कैद नहीं कर सकती…क्योंकि AAP ही BJP को रोक सकती हैं..
— Bhagwant Mann (@BhagwantMann) March 21, 2024
सोच को कभी भी दबाया नहीं जा सकता
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે અરવિંદ કેજરીવાલ એક વિચારક છે, ED તેમને કેદ ન કરી શકે. ભાજપ જાણે છે કે AAP અને કેજરીવાલ જ તેમને રોકી શકે છે. એટલા માટે તેઓ ડરાવવા માટે આ યુક્તિઓ અપનાવી રહ્યા છે.
जो ख़ुद हैं शिकस्त के ख़ौफ़ में क़ैद
‘वो’ क्या करेंगे किसी और को क़ैद
भाजपा जानती है कि वो फिर दुबारा सत्ता में नहीं आनेवाली, इसी डर से वो चुनाव के समय, विपक्ष के नेताओं को किसी भी तरह से जनता से दूर करना चाहती है, गिरफ़्तारी तो बस बहाना है।
ये गिरफ़्तारी एक नयी जन-क्रांति को…— Akhilesh Yadav (@yadavakhilesh) March 21, 2024
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું કે ‘જેઓ પોતે હારના ડરમાં કેદ છે તેઓ બીજાને કેવી રીતે કેદ કરશે?’ ભાજપ જાણે છે કે તે ફરી સત્તામાં આવવાનો નથી, આ ડરને કારણે તે વિપક્ષના નેતાઓને કોઈપણ રીતે જનતાથી દૂર કરવા માંગે છે, ધરપકડ માત્ર એક બહાનું છે.
આ પણ વાંચોઃ Sugarcane Juice: ગરમીમાં શેરડીનો રસ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, પરંતુ જાણો તેને રસ પીવાની યોગ્ય રીત
બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી. તૃણમૂલના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભામાં પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયને ED દ્વારા ધરપકડની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે અમે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડની સખત નિંદા કરીએ છીએ. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને કેરળના સીએમ પી વિજયને પણ કેજરીવાલની ધરપકડની આકરી ટીકા કરી હતી.